Latest

જામનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સરસ મેળાનો બહોળી સંખ્યામાં લાભ લઈ પીએમ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતા નગરજનો

એબીએનએસ, જામનગર: જામનગરના જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3 ખાતે ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના સરસ મેળાનું આયોજન કરાયું છે.

જ્યાં સમગ્ર રાજ્યના 33 જિલ્લાના 100 થી વધુ કારીગર બહેનો વિવિધ 50 સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેંચાણ કરી રહ્યા છે.આ સરસ મેળામાં જામનગર તથા આસપાસના વિસ્તારોના નાગરિકો બહોળી સંખ્યમાં દિવાળીની ખરીદી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવાની સાથે આ પ્રકારના ઉમદા આયોજન બદલ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

આગામી તા.28 ઓક્ટોબર સુધી ચાલનારા આ સરસ મેળામાં સમગ્ર રાજ્યના સખી મંડળના બહેનો દ્વારા હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ફુડ પ્રોડક્ટ, ગૃહ સુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝૂલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સિઝનેબલ મસાલા અને અથાણા, ઓર્ગેનીક સરબતો જેવી વિવિધ ચીજ વસ્તુઓનું સીધુ જ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

દિવાળીની ખરીદી કરવા આવેલ જામનગર જિલ્લાના વસઈ ગામના રહેવાસી જેસલબેન રબારી આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવે છે કે આજે મેં જામનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સરસ મેળાની મુલાકાત લીધી હતી.

જ્યાં વિવિધ સ્ટોલના માધ્યમથી દિવાળી તથા સુશોભનને લગતી અવનવી તમામ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી ભાવે એક જ સ્થળેથી ખરીદવાનો અમને અવસર મળ્યો છે.હેન્ડક્રાફ્ટના ખૂબ જ કલાત્મક ઉત્પાદનો અહીં જોવા મળે છે કે જે ખરીદવા હોય તો ખૂબ જ દૂર સુધી જવું પડે.રાજ્ય સરકારે એક જ પ્લેટફોર્મ પર આખા રાજ્યના ઉત્પાદનો લાવી સ્થાનિક કારીગરો બહેનો અને ખરીદી કરનાર નાગરિકો માટે કડીરૂપ બનવાનું મહત્વનું કાર્ય કર્યું છે.

રાજ્યના 33 જિલ્લાઓની સુવિખ્યાત વસ્તુઓ અહીં આપણે એક જ સ્થળેથી ખરીદી શકીએ છીએ તેમ જણાવી જામનગર તથા આજુબાજુના જિલ્લાના સૌ નાગરિકોને એકવાર આ સરસ મેળાની મુલાકાત લેવા તેમજ અચૂક અહીંથી ખરીદી કરવા જેસલબેન રબારીએ અપીલ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *