Latest

આણંદ ખાતે રેલ્વે પોલીસ માટે નિર્માણ પામેલ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

આણંદ રેલ્વે પોલીસના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાસભર ૪૦ આવાસોનું કરાયું નિર્માણ

આણંદ, ગુરુવાર :: આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ તકતીનું અનાવરણ કરી આવાસોનું લોકાર્પણ કર્યું હતુ. તેમણે કર્મચારીઓને ફાળવવામાં આવેલ આવાસો પૈકી ૧૦ કર્મચારીઓને પ્રતિકરૂપે મંચ પરથી મકાનની ચાવી અર્પણ કરી હતી.

આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ગુજરાત રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલ્વે, વડોદરાના પોલીસ અધિક્ષક શ્રી સરોજ કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ પરમાર, અગ્રણીશ્રી રાજેશભાઇ પટેલ, રેલ્વે પોલીસ-ગુજરાત પોલીસના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬.૦૭ કરોડના ખર્ચે બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ આવાસના મકાનમાં ૨ રૂમ, હોલ, કિચન, ફર્નિચર ઉપરાંત બિલ્ડિંગમાં લિફ્ટ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, જનરેટર, બાળકો માટે રમત ગમતના સાધનો, બગીચો, ગેસ કનેક્શન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *