Latest

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનુ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ.

આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામ માંથી ૨૮ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અતિથિ વિશેષગણ એ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડના ડી.ડી.એમશ્રી દિપકકુમાર ખલાસસર, ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમશ્રી ઇરફાનભાઇ ઘાંચી તથા એપીએમ મેડમશ્રી વૈષ્ણવીબેન, એફએલસી કાઉન્સેલરશ્રી મલેક, એસ.બી.આઇ ભાવનગરના એલ.ડી.એમશ્રી ગૌતમકુમાર ચૌહાણ, તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટરશ્રી રમેશકુમાર એસ. રાઠોડ, ફેકલ્ટીશ્રી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટીશ્રી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસીસ્ટન્ટશ્રી ઇશાનભાઇ કલીવડા તથા જયેશભાઇ ગોહિલ, તેમજ સ્ટાફશ્રી ડી. જી. પઠાણ અને સંજયભાઇ શુક્લ તેમજ ગેસ્ટ ફેકલ્ટીશ્રી માલાબેન ત્રિવેદી હાજર રહયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ…

1 of 599

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *