Latest

ઉના તાલુકા પંચાયત સેવા સદન શહેર ની નજીક બનાવવા માંગ

ઉના તાલુકા પંચાયત સેવા સદન શહેરની મધ્યયમાં ટાવર ચોક વિસ્તારમાં હતી.આ બિલ્ડીંગ અતિ જર્જરીત થતા આ બિલ્ડીંગ શહેર ના બાયપાસ પાસે લામધાર ના પાટીયા પાસે સમાજ કલ્યાણ વિભાગની છાત્રાલય મા સ્થળાંતર કરવામાં આવેલ છે.

તાલુકા પંચાયત સેવા સદનનું નવુ બિલ્ડીંગ શહેરથી ખુબ જ દુર બનાવવાનું આયોજન થઈ રહયુ છે.ત્યારે અરજદારોને ખુબ જ મુશ્કેલીઓ પડી શકે તેમ છે.ગ્રામ્ય વિસ્તારના આવકના જાતીના દાખલા માટે તાલુકા પંચાયત મા જવુ પડે ત્યાર બાદ આ દાખલા માટે ફોટો પડવવા મામલતદાર ઓફીસમાં જવુ પડે.અને ફરી તાલુકા પંચાયત જવું પડે ત્યારે અરજદાર ને આ તાલુકા પંચાયત દુર જવાના કારણે ખુબ મુશ્કેલીઓ પડશે.

યોગ્ય વાહનવ્યવહારના અભાવે લોકોને ના છુટકે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડશે જેના કારણે આર્થીક નુકશાની થશે.તાલુકા સેવા સદનનું નવુ બિલ્ડીંગ બનાવવાનું આયોજન છે તે તાલુકાની એક સાઈડના સનખડા, ગાંગડા, ભાચા, સૈયદરાજપરા, નવાબંદર, ખાપટ જેવા ગામડાઓને ખુબ જ દુર પડશે.

જેના કારણે અરજદારોને ખુબ મુશ્કેલીઓ પડશે.તો આપના દ્વારા આ લોકોના વિશાળ હીત માં તાલુકા સેવા સદન શહેરની મધ્યમાં મુળ જગ્યાએ અથવા શહેરની નજીક બનાવવમાં આવે તેવી માંગ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય, ગાંધીનગર, બચુભાઈ ખાબડ મંત્રી પંચાયત,જિલ્લા વિકાસ અધિકારી,કલેકટર ને પ્રાંત અધિકારી મારફત આવેદન પત્ર આપી અખિલ ભારતીય કોળી સમાજ ના મહામંત્રી રસિક ચાવડા, મોટા ડેસર ના સરપંચ પ્રતિનિધિ ભરત શિંગડ, કોળી સમાજ ના પાચાભાઈ દમણિયા વગેરે એ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *