Latest

અમદાવાદ શાહ આલમ દરગાહમાં ગેર વહીવટ મુદ્દે મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

અમદાવાદ: ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની નિમણૂક કરવા મુસ્લિમોની પ્રબળ માંગ કરી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ હજ સમિતિની રચના કરવા અંગે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા શાહ આલમ દરગાહના ખીદમતગાર સૂબાભાઈ પઠાણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં 98% થી વધુ વસ્તી ધરાવતી સુન્ની મુસ્લિમ સમાજના સભ્યની નિમણૂક કરવી જોઈએ તેવી લાગણી અને માંગણી સુન્ની સમાજમા પ્રબળ બની છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વકફ બોર્ડમાં છેલ્લી મિલકતો નોંધાયેલી છે તેમાં ૯૯ ટકા મિલકતો સુન્ની મુસ્લિમોની છે જેથી કરીને ગુજરાત ભાજપ સરકાર દ્વારા સુન્ની મુસ્લિમ સમાજમાં અન્યાય ન થાય

વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાહ આલમ દરગાહ મા હાલમાં થઈ રહેલા ગેરવહીવટ થી મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે… હાલમાં શાહઆલમ દરગાહના જવાબદારો શાહઆલમ દરગાહના પ્રશ્નોને કોરાણે મૂકી પોતાની મનમાની કરી રહ્યા છે આ જવાબદારોને ગોલખ ગણવામાં જ રસ છે અને અકિદત મંદો દ્વારા ગોલખમાં નખાતી રકમનો કોઈ હિસાબ જે તે વહીવટદારો દ્વારા નાખવામાં આવતો નથી આ અંગે મુસ્લિમ સમાજમાં વહીવટ દ્વારા વ્યાપક અસંતોષ ફેલાયો છે તેમ શાહઆલમ દરગાહના ખીદમતગારે જણાવ્યું હતું

શાહઆલમ દરગાહના ખીદમતગારે સુબાભાઈ પઠાણે જણાવ્યું હતું કે ગુજરાત વકફ બોર્ડમાં સુન્ની મુસ્લિમની ચેરમેન પદ નિમણૂક કરવા અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબને પણ રજૂઆત કરવામાં આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *