Latest

શંખેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકોને પેમ્પલેટ આપી ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા…

એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર શંખેશ્વર પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો થી અવગત કરાયા હતાં તેમજ વાહન ચાલકોને પેમ્પલેટ આપી ટ્રાફિક ના નિયમો વિશે સમજણ આપવામાં આવી હતી.

જિલ્લામા પોલીસ વડાના આદેશ અનુસાર શંખેશ્વર ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા હતાં. તેમજ વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કેમ કરવું વગેરે માર્ગદર્શન આપી પેમ્પલેટ આપી સમજ અપાઈ હતી.

વાહન ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી તેમજ ટ્રાફિકને લગતા નિયમોનું પેમ્પલેટ આપી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કેમ કરવું વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારે રોડ રસ્તા પર અવારનવાર ઓવર સ્પીડ થી લઈને અનેક નિયમોના ભંગ કરી ચાલતા વાહન ચાલકો ના હાથે અકસ્માત થતા હોય છે અને નિર્દોસ લોકો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હવે જિલ્લા પોલીસ સતર્ક બની છે અને દરેક જગ્યાએ પોલીસ પોતાની ફરજ બજાવતી હોય છે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સમજાવતી હોય છે

જેમાં હેલ્મેટ પહેરવો સીટબેલ્ટ નો ઉપયોગ કરવો રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ના કરવું વાહન ચલાવતી વખતે ફોન નો ઉપયોગ ન કરવો રસ્તા પર વાહનો ખોટી રીતે પાર્કિંગ ન કરવા પરમિટ જેટલા પેસેન્જર ભરવા દરેક વાહનોમાં વીમો ઉતરાવો અનિવાર્ય હોય છે વીમા વગર વાહન ચલાવવું નહીં કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન ચલાવવું નહીં જેવા નિયમોનું સમજણ આપતી પત્રિકાઓ શંખેશ્વર એસઆઈ પ્રવીણસિંહ અમૃતજી તેમજ તેમના સ્ટાફ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તેમજ અન્યની જિંદગી બચાવીએ તેવા સૂત્રો સાથે શંખેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *