Latest

શિક્ષણ સમિતિ બાદ કિયોસ્ક બોર્ડ હોર્ડિંગ કૌભાંડ ભાજપના રાજમાં રોજબરોજ કૌભાંડ ખુલવાનો અને ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે – મહેશ રાજપુત

આ કૌભાંડમાં ભાજપના કયા મહામંત્રીની ભૂમિકા છે અને ભાગીદારી છે ? – મહેશ રાજપુત

મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ કહે છે કે ભ્રષ્ટાચાર ગુજરાતમાં ક્યાય ચલાવી નહી લઈએ, તમે શું આમાં pppમાં કામ સોંપી ભ્રષ્ટાચાર થવા દેશો કે નવા ટેન્ડર બહાર પડશો ?

કાલાવડ રોડ પર કિશાનપરા ચોક થી ડોમિનોઝ પીઝા સુધી તેમજ આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી ૧૦૮ જેટલા બોર્ડનો કોન્ટ્રાકટ ૫ લાખમાં મેળવ્યો હતો, મુદ્દત પૂર્ણ છતાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી. – મહેશ રાજપુત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ મહેશભાઈ રાજપુતની યાદીમાં જણાવ્યું છે કે ભ્રષ્ટાચારથી ખદબદી રહેલ રાજકોટમાં મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ બાદ જાહેરાતના કિયોસ્ક બોર્ડનું કૌભાંડ સામે આવ્યું છે

ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં રાજકોટ શહેરમાં કિશાનપરા ચોક થી ડોમિનોઝ પીઝા સુધી અને આત્મીય કોલેજથી એ.જી.ચોક સુધી ૧૦૮ જેટલા જાહેરાત પ્રદર્શિત કરતા કિયોસ્ક બોર્ડ રાજકોટ મહાનગરપાલિકાએ ppp ધોરણે ફક્ત રૂ.૫ લાખમાં આપી દીધેલ હતા હવે જયારે મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે ભાજપના શાસકો દ્વારા જૂની શરતે કોન્ટ્રાકટ આપવા ગતિવિધિઓ ચક્રમાન કરી છે

ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને રૂ.૩.૫૦ કરોડ જેવી નુકશાની ભોગવવી પડે તેવી અરજીઓ થઇ છે અને મીડિયામાં પ્રકાશિત થયું છે ત્યારે આ કિયોસ્ક બોર્ડ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી પારદર્શક કામગીરી કરવી જોઈએ અને સ્પર્ધાત્મક ભાવો આવે તેથી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં આવક થાય

અને કોઈ ભાજપના મળતિયાઓને જાકારો આપવામાં આવે તેમજ આ ભ્રષ્ટાચારમાં ભાજપના કયા મહામંત્રીની ભૂમિકા છે અને ભાગીદારી છે ? તેવો મહેશ રાજપુતે સવાલ કર્યો છે તેમજ મુખ્યમંત્રીશ્રી અને સી.આર.પાટીલ કહે છે કે ગુજરાતમાં ક્યાય ભ્રષ્ટાચાર ચલાવી નહી લઈએ ત્યારે આ પ્રક્સ્રણમાં તમે શું આમાં pppમાં કામ સોંપી ભ્રષ્ટાચાર થવા દેશો કે નવા ટેન્ડર બહાર પડશો ? તેનો ખુલાસો કરવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપુતે માંગ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો…

અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…

1 of 600

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *