Latest

અંબાજી એસટી ડેપો દ્વારા મુસાફર જાગૃતિ માટે સુંદર કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશનાં 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે એસટી ડેપો આવેલો છે, આ એસટી ડેપોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં બસનું સંચાલન થઈ રહ્યું છે.

સરકાર શ્રીનાં સ્વચ્છતાનાં અભિગમ અને નિગમની સૂચના અનુસાર અંબાજી એસ.ટી ડેપો દ્વારા મુસાફર જાગૃતિ માટે તમામ કંડકટર મિત્રો ને આહવાન કરતા તમામ કંડકટર મિત્રોએ આ બીડું ઝડપી અને બસ અને બસ સ્ટેશન સ્વચ્છ રહે તે હેતુસર આવનારા આખા માસમાં આજ મુજબ બસ માં મુસ્ફરોને કચરો નાં કરવા આગ્રહ કરશે

અને મુસાફર જનતાને સાફ બસો માં મુસાફરી માટે ડેપો થકી સ્વચ્છ બસ ઉપલબ્ધ થશે,અને આ સ્વચ્છ બસ અને કંડકટર મિત્રોનાં સફાઈ
નાં આગ્રહ થકી નિગમની સ્વચ્છ બસો અને બસ સ્ટેશનો માટે સ્ટાફ કટિબદ્ધ છે.અંબાજી ગુજરાતનો સૌથી છેલ્લો બસ ડેપો છે ત્યારબાદ રાજસ્થાન રાજ્ય શરૂ થાય છે. અંબાજી એસટી ડેપોમાં રઘુવરસિંહ ચૌહાણની સુંદર કામગીરી જોવા મળી રહી છે જય ભેરુ નાથ

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 581

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *