Latest

સુરતના અલગ અલગ વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું હતું.જેને લઇ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજરોજ વિસર્જન કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓનું ફરી દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સાંસ્કૃતિક રક્ષા સમીતી અને શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકો દ્વારા આજરોજ સુરતની ડીંડોલી, ખરવાસા, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 2000 થી વધુ ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ઓવારા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક શ્રી આશિષ સુર્યવંશી એ જણાવેલ કે, આ કાર્યમાં ઉધના પાંડેસરા વિસ્તારના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100 થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. છેલ્લા 6 વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવીસર્જિત રઝળતી ગણેશજીની, દશામાની અસંખ્ય POP ની પ્રતિમાઓ મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને POP ની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવતા આવેલ છે.

10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિંદુ ધર્મની લાગણી દુભાવે છે. સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા POP ની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે.હિન્દુ ધર્મ લાગણી ન દુખાય તે રીતે લોકોએ વિસર્જન કરવા અપીલ કરી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *