Latest

સાવન કૃપાલ રૂહાની મિશન, અમદાવાદ દ્વારા તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું

પરમ સંત રાજીન્દર સિંહજી મહારાજની કૃપાથી સાવન કૃપાલ રૂહાની મિશન, અમદાવાદ દ્વારા તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. 2500 લોકોને તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું કે જેઓ આકરા તડકા અને ગરમ વાતાવરણમાં આજીવિકા મેળવવા માટે મહેનત કરે છે.
અમદાવાદ જેપી બંગલો કુબેરનગર ખાતે 20 સેવાદાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા માનવ-કલ્યાણ ના માટે અનેક પ્રકારના કાર્ય કરાય છે. સમય સમય પર રક્તદાન શિબિર અને સાથે-સાથે મફત મોતિયાબિંદ ઓપરેશન તથા સ્વાસ્થ્ય જાચ શિબિર ના પણ આયોજન કરાય છે. તથા શારીરિક રૂપથી વિકલાંગ ભાઈ-બહેનોને સહાયક ઉપકરણ નું વિતરણ કરાય છે.

આના સિવાય ગરીબ તથા બેસહારા છોકરા માટે સંત રાજીન્દર સિંહ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં છોકરાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારના કોર્સ ફ્રી કરાવાય છે. સિનિયર સિટિઝન માટે પણ સમય-સમય પર અનેક પ્રકારના કાર્યક્રમો ચલાવાય છે.

આની સાથે સાથે પ્રાકૃતિક આપદા જેવા, તમિલનાડુ માં આવેલી સુનામી, ઉત્તરાખંડમાં આવેલ પ્રાકૃતિક આપદા, જમ્મુ કાશ્મીરમાં આવેલ ભયાનક પુર અને નેપાળમાં આવેલા ભીષણ ભૂકંપમાં પણ મિશનના સેવાદાર ઓ દ્વારા પીડિત લોકો ને દૈનિક જીવનમાં ના સંબંધિત આવશ્યક વસ્તુઓ ની સાથે-સાથે ગરમ કપડા જેમકે ચોરસા, સ્વેટર અને ફોમ ના ગાદલા દવાઓ વગેરે નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ એકતા અને શાંતિ ના સંદેશ પ્રસારિત કરી રહ્યા છે જેના ફળસ્વરૂપ એમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માનોની સાથે સાથે ૫ ડોક્ટરેટની ઉપાધિઓ થી પણ સન્માનિત કરાવાયું છે.

સાવન કૃપાલ રૂહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં લગભગ ૩૨૦૦થી વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશન ના સાહિત્ય વિશ્વની ૫૫ થી અધિક ભાષાઓમાં પ્રકાશિત કરાયા છે. આનો મુખ્યાલય વિજયનગર,દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવિલે, અમેરિકામાં સ્થિત છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *