Latest

મધ્યપ્રદેશના ઉજ્જૈન ના માકડોન ગામે સરદાર પટેલ ની પ્રતિમા ને તોડનાર સામે પગલાં લેવા માંગ

અખિલ ભારતીય કોળી સમાજ ના રસિક ચાવડા એ કરી રજુઆત

તારીખ:-૨૫/૧/૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસમાજીક તત્વો દ્વારા ઉખાડી, તોડફોડ,ખંડિત કરી અને સળગાવવામાં આવી છે તે ઘટનાને સરદાર પટેલ સાહેબનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે.

આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોષની લાગણી છે. આ સમગ્ર ઘટનાને સમગ્ર સરદાર પ્રેમીઓ સખત શબ્દોમાં વખોડી છે. ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ જી ને અને પ્રસાશન રજૂઆત કરવામાં આવી છે કે અસમાજીક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર સરદાર પ્રેમીઓ અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ માંગણી કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *