Latest

ઉના ગારિયાધાર બસ ચાલુ કરવા સામાજીક આગેવાન રસિકભાઈ ચાવડા એ માંગ કરી

પ્રતિ,
શ્રી હર્ષભાઈ સંઘવી,
મંત્રી શ્રી વાહન વ્યવહાર અને પરિવહન,
ગાંધીનગર, ગુજરાત.

વિષય: ઉના ગારીયાધાર વાયા સાવરકુંડલા બસ શરૂ કરવા બાબત

સવિનય સાથ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે ઉના ગારીયાધાર વાયા સાવરકુંડલા બસ વર્ષોથી ચાલે છે. પણ આ બસ કંડમ સ્થિતિમાં હોય છે તેને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતો મુસાફરો ને ખૂબ હેરાન થાય છે.આ રૂટ કાયમી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતોને આ બસ અનિયમિત હોય ત્યારે ખુલ્લા છકડો રીક્ષા, છોટા હાથી કે ખાનગી વાહનમાં અકસ્માતના ભય સાથે મુસાફરી કરવી પડતી હોય છે.ત્યારે આ બસ શરૂ કરવામાં આવે તો આ લોકો માટે ખૂબ લાભદાયક છે અને સલામત મુસાફરી નો અહેસાસ કરી શકે .

આ બસ ત્રણ જિલ્લાને જોડતી બસ છે ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર જિલ્લાને જોડતી આ બસ શરૂ કરવામાં આવે તો ત્રણ જિલ્લાના લોકોને ફાયદો થઈ શકે. આ બસ વાયા સાવરકુંડલા ચાલતી હોવાથી ખૂબ જ મહત્વની બસ છે અને એસ.ટી ને પણ ખૂબ મોટી આવક થાય તેવો રુટ છે.તો આ રૂટને નિયમિત કાયમી કરવામાં આવે તેવી અમારી માંગ છે અને સારી સ્થિતિની બસ મૂકવામાં આવે તેવી વિનંતી.

રસિક ચાવડા

નકલ રવાના
વિભાગીય નિયામક ગુજરાત એસ. ટી. ભાવનગર
વિભાગીય નિયામક ગુજરાત એસ. ટી.અમરેલી
ડેપો મેનેજર-ઉના
ડેપો મેનેજર-ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *