Latest

ઉના ગારિયાધાર બસ ચાલુ કરવા સામાજીક આગેવાન રસિકભાઈ ચાવડા એ માંગ કરી

પ્રતિ,
શ્રી હર્ષભાઈ સંઘવી,
મંત્રી શ્રી વાહન વ્યવહાર અને પરિવહન,
ગાંધીનગર, ગુજરાત.

વિષય: ઉના ગારીયાધાર વાયા સાવરકુંડલા બસ શરૂ કરવા બાબત

સવિનય સાથ ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે ઉના ગારીયાધાર વાયા સાવરકુંડલા બસ વર્ષોથી ચાલે છે. પણ આ બસ કંડમ સ્થિતિમાં હોય છે તેને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતો મુસાફરો ને ખૂબ હેરાન થાય છે.આ રૂટ કાયમી ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ વાલીઓ નોકરિયાતોને આ બસ અનિયમિત હોય ત્યારે ખુલ્લા છકડો રીક્ષા, છોટા હાથી કે ખાનગી વાહનમાં અકસ્માતના ભય સાથે મુસાફરી કરવી પડતી હોય છે.ત્યારે આ બસ શરૂ કરવામાં આવે તો આ લોકો માટે ખૂબ લાભદાયક છે અને સલામત મુસાફરી નો અહેસાસ કરી શકે .

આ બસ ત્રણ જિલ્લાને જોડતી બસ છે ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર જિલ્લાને જોડતી આ બસ શરૂ કરવામાં આવે તો ત્રણ જિલ્લાના લોકોને ફાયદો થઈ શકે. આ બસ વાયા સાવરકુંડલા ચાલતી હોવાથી ખૂબ જ મહત્વની બસ છે અને એસ.ટી ને પણ ખૂબ મોટી આવક થાય તેવો રુટ છે.તો આ રૂટને નિયમિત કાયમી કરવામાં આવે તેવી અમારી માંગ છે અને સારી સ્થિતિની બસ મૂકવામાં આવે તેવી વિનંતી.

રસિક ચાવડા

નકલ રવાના
વિભાગીય નિયામક ગુજરાત એસ. ટી. ભાવનગર
વિભાગીય નિયામક ગુજરાત એસ. ટી.અમરેલી
ડેપો મેનેજર-ઉના
ડેપો મેનેજર-ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *