Latest

પોરબંદર લોકસભા વિસ્તારના પુલોના કામ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ નો આભાર માનતા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવીયા

તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના 32 જેટલા માર્ગો પરનું નેટવર્ક સુવ્યવસ્થિત કરવા 779 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે, જેમાંથી 4 પુલ પોરબંદર લોકસભા વિસ્તારના છે.

જેમાં
-રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભાના મોટી પાનોલી માંડાસણ રોડ અંદાજિત ૨૦૦ લાખ રૂપિયાના ખર્ચે
-રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભાના સમઢીયાળા તલંગાણા લાઠ ભીમોરા રોડ ૧૧૬૫ લાખ રૂપિયાના ખર્ચે
-રાજકોટ જિલ્લાના પોરબંદર લોકસભાના સુપેડી નાનીવાવડી ખાખી જાળીયા કોલકી રોડ અંદાજિત ૨૦૦ લાખ રૂપિયાના ખર્ચે
-પોરબંદર જિલ્લાના પોરબંદર લોકસભાના રામવાવ-સીમર-રોજીવાડા રોડ ૧૧૬૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થશે.

આ અવસરે પોરબંદર લોકસભા વિસ્તારના ધારાસભ્યોની સક્રિયતા ને પણ શ્રી માંડવીયાએ બિરદાવી હતી.
ધારાસભ્યો લોકોના પ્રશ્નોને વાચા આપીને મુખ્યમંત્રી સુધી પહોંચાડે છે અને સજાગ રીતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રશનોનું નિરાકરણ લાવે છે.

ગુજરાતના બહુમુખી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલી મજબૂત ઈકો સિસ્ટમનું આ ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય દ્વારા રાજ્યના નાગરિકો ઈઝ ઓફ લિવિંગ મળશે તેવી લાગણી કેન્દ્રીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ શ્રી મનસુખ માંડવીયાએ વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *