Latest

જુનાગઢ વેલાવડ ખાતે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપું ની દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

આજ રોજ તા. ૧૩/૮ /૨૦૨૩ રવિવાર ના રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ ના પ્રમુખ અને ઉદ્યોગપતિ ભામાશા શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા ચુંવાળીયા કોળી સમાજ ના ધર્મ ગુરુ દ્વારા સંત શિરોમણી બાપુની આરાધ્ય ચેતન સમાધિ વેલાવડ ની જગ્યા ભવનાથ જુનાગઢ ખાતે દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ યાત્રાનું પ્રસ્થાન ઢોલ નગારા શરણાઈ અને ડી જે ના તાલે જય વેલનાથ ના નાદ સાથે સવારે દશ કલાકે ભારતી આશ્રમ થી કરવામાં આવ્યુ હતું જેમા જુનાગઢ ગિર સોમનાથ ના સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ચુંવાળીયા કોળી સમાજ ના હળવદ ના પૂર્વ ધારાસભ્ય શ્રી પરશોતમભાઈ સારીયા તથા ગુજરાત ભરમાંથી ચુંવાળીયા કોળી સમાજ ના સામાજીક રાજકીય આગેવાનો તથા સંગઠનો મંડળો તથા ભાઈઓ અને બહેનો એ આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા મા બહોળી સંખ્યામાં હાજરી આપી હતી

અને આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા ભવનાથ ના મુખ્ય માર્ગો ઉપર ફરી વેલાવડ ખાતે પહોંચી હતી જ્યા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા પરિવાર અને આમંત્રિત લોકો દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જગ્યાએ દિવ્ય ધ્વજાઆરોહણ કરવામાં આવેલ અને તમામ આમંત્રિત આગેવાનો અને કાર્યકરો નું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમા કોળી સમાજનું ગૌરવ એવા કોકીલ કંઠી લલિતાબેન ઘોડાદ્વા તથા કોળી સમાજની ઉભરતી કલાકાર કિંજલ મકવાણા તથા સાથી કલાકારો દ્વારા સંત વેલનાથ બાપું ના ભજનો ગવાયા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ અને જુનાગઢ ની ટીમ દિનેશભાઈ મકવાણા બાલાભાઈ પંચાસરા નટુભાઈ કુવરીયા ચેતન મકવાણા ભરતભાઈ ડાભી દેવભાઈ કોરડીયા ભરતભાઈ બાલોદ્વા વિજયભાઈ ડાબસરા તથા જુનાગઢ શહેર તથા તાલુકાના આગેવાનો બટુકભાઈ મકવાણા કાળુભાઈ કડીવાર અશોકભાઈ મકવાણા જીતેન્દ્ર રાનેરા કાળુભાઈ ચાવડા સમજુભાઈ સોલંકી મોહનભાઈ માંડવિયા જીગરભાઈ પરમાર જયરાજભાઈ મકવાણા પંકજભાઈ ભરડા કાંતીભાઈ ચૌહાણ કિશોરભાઈ રાખશીયા રામદેભાઈ ચુડાસમા કે ડી સગારકા તથા ગુજરાત ભરમાંથી આવેલા આગેવાનો અને કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી અંતમાં આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રામા સહભાગી થઈ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા દ્વારા તમામ નો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *