Latest

વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા UPSC અન્વયે માર્ગદર્શન વેબીનારનું આયોજન….

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હાલમાં જ ખૂબ જ સારા રેન્કથી UPSC ક્લિયર કરનાર શ્રી દુષ્યંતભાઈ ભેડા IRS સાથે માર્ગદર્શન સંવાદ વેબીનારનું આયોજન કરવામાં આવેલ. જેમના માધ્યમથી જાહેર પરીક્ષાની તૈયારી કરતા સર્વે સમાજના અનેક વિદ્યાર્થીઓ માટે આ વેબીનાર સહાયક અને માર્ગદર્શક બન્યો. ખાસ કરીને UPSC પરીક્ષાની સ્ટ્રેટેજી, વિષય પસંદગી, પ્રિલીમીનરી,મુખ્ય પરીક્ષા સહિતની તૈયારી, ઇન્ટરવ્યૂ અને તૈયારી માટેના વર્ગો તથા આત્મવિશ્વાસ વિગેરે બાબતે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

આ વેબીનારમાં મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રી દુષ્યંતભાઈ ભેડા IRS ( UPSC ) તથા સંવાદવક્તા તરીકે
(1) શ્રી અશોકભાઈ ગુજ્જર (મોટીવેશનલ સ્પીકર)
(2) શ્રી મથુરભાઈ બલદાણીયા
સહએડમીન ASVK ગ્રુપ).
(3) શ્રી ઘનશ્યામભાઈ હેરભા
અધ્યક્ષશ્રી, રાજ્ય કોરકમિટી ASVK ગ્રુપ વગેરે રહ્યા હતાં.

વૈચારિક ક્રાંતિ ગ્રુપની એડમીન-સહ એડમીન, કોરકમિટી સહિતની સમગ્ર કન્વીનર્સ ટીમેં આ વેબીનાર સફળ બનાવ્યો હતો.. આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ એ સર્વે સમાજ માટે પણ અવારનવાર શિક્ષણ,આરોગ્ય, પર્યાવરણ, વ્યસનમુક્તિ સહિત લોકજાગૃતિના કાર્યોનું આયોજન કરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *