Latest

વિજકંપનીની લાપરવાહી થી ખેડૂતો ને નુકશાન : પવનની દિશા બદલાતા ખેડૂતોની સતર્કતા ને લઈ ઘઉંનો બાકીનો પાક બચ્યો

શિકાકંપાની સીમમાં  વિજતારના તણખાથી ઘઉંનો પાક બળીને ખાખ ખેડૂતોને માથે આભ ફાટયા જેવી વિકટ પરિસ્થિતિ

કપિલ પટેલ અરવલ્લી

ધનસુરા ના શિકાકંપાની સીમમાં આવેલ એક ખેતરમાં ગુરુવારે વિજતરમાં તણખા થતા ઘઉંના પાક માં આગ લાગી હતી આગને લઈ 5 વિઘામાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળી ખાખ થઈ જતા ખેડૂતો રોષે ભરાયા હતા શીકા કંપાની સિમમા પટેલ સુરેશભાઈ પ્રેમજીભાઈ નું ખેતર આવેલું છે જેમાં 10 વીઘા ખેતર માં ઘઉંનું વાવેતર કરેલ હતું.અને તૈયાર થયેલ ઘઉંનો પાક લેવાની તૈયારી હતી.

ત્યારે ગુરુવારે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના વિજતારમાંથી તણખા ઝડતા ઘઉંના પાક માં આગ લાગી હતી જેને લઈ 5 વિઘામાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. પવનની દિશા બદલાતા અને ખેડૂતોની મહેનત ને લઈ બાકીના 5 વિઘામાં તૈયાર થયેલ ઘઉંના પાક ને બચાવી લીધો હતો.

આ અંગે મળેલ વિગતો મુજબ શિકાકંપાના ખેડૂતે  વિજકંપનીમાં ફોન કરીને જાણ કરતા વિજકંપનીના અધિકારી એ સર્વે માટે ટિમ મોકલવાનું જણાવ્યું હતું.ખેતર ઉપર થી પસાર થતી વિજલાઈનની હાલત ખુબજ જોખમી હોય ખેડૂતો માથે લટકતી તલવાર જેવી હાલત થઈ છે ખેતરોમાં ઘઉંનો તૈયાર પાક લેવા માટે ખેડૂતો વિજતારને લઈ હાર્દવેસ્ટર નો પણ ઉપયોગ કરી શકતા નથી.

પવનની દિશા બદલાતા 5 વિઘમ ઘઉંનો પાક બચાવી લેવાયો

શિકાકંપાની સીમના ખેતરો ઉપરથી પસાર થતી વિજલાઈનના તારમાંથી તણખા ઝડતા ઘઉંના તૈયાર પાક માં આગ લાગી હતી જોકે પવનની દિશા બદલાતા અને ખેડૂતો ની મહેનતે અડધો પાક બચાવી લેવાયો હતો

વિજપોલ વિજતાર નમી જતાં ખેડૂતો મુશ્કેલી માં મુકાયા

ખેતરોમાંથી પસાર થતી વિજલાઈનોના તાર નીચા ઉતરી જતા અને પવનને લઈ તાર એકબીજા ને અથડાતા ઘઉંના પાકમાં આગ લાગવાની ઘટના બની હતી વિજકંપની દ્વારા લાઈનોના  નમી ગયેલા વિજપોલ તેમજ વિજતારનું મેઈટેનન્સ ન થતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા રહ્યા છે

વિજપોલ હટાવવા માટે બે માસ અગાઉ ખેડૂતે આપી હતી અરજી

શિકાકંપા ના ખેડૂત સુરેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે તમેના ખેતરમાંથી પસાર થતા વિજપોલ જોખમી હોય તે અંગે કાર્યવાહી કરવા વીજ કંપની ને બે માસ અગાઉ લેખિત જાણ કરવામાં આવી હતી પરંતુ વીજ કંપનીની આળસ ના કારણે ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *