Latest

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાનો વિકાસ કામોને વેગ આપવા અગ્રણીઓ સાથે સંવાદ

કેન્દ્રીય મંત્રીશ્રીએ વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી ગ્રામજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

જૂનાગઢ તા.૧૦ ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે જન પ્રશ્નોને ઉકેલવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારી સાથે રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *