Latest

બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ અને બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દિવ્યાંગ લોકોના ગરબા યોજાયા, પરમવીર સિંહ હાજર રહ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે,ત્યારે અંબાજી ખાતે દાંતા રોડ ઉપર ગુરુજી વાટિકામાં દિવ્યાંગ લોકોના ગરબાનું કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દિવ્યાંગ લોકો ગરબા રમવા આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ અને બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દિવ્યાંગ લોકોના ગરબા યોજાયા હતા. જેમાં દાંતા સ્ટેટના મહારાજા પરમવીર સિંહ ખાસ હાજર રહ્યા હતા.

અંબાજી ખાતે નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પણ આજે અંબાજી ખાતે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.ગરબા અગાઉ આરતી કરવામાં આવી હતી અને આરતીમાં પરમવીર સિંહ રાજવી જોડાયા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *