Latest

બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ અને બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દિવ્યાંગ લોકોના ગરબા યોજાયા, પરમવીર સિંહ હાજર રહ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે,ત્યારે અંબાજી ખાતે દાંતા રોડ ઉપર ગુરુજી વાટિકામાં દિવ્યાંગ લોકોના ગરબાનું કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દિવ્યાંગ લોકો ગરબા રમવા આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લા વિકલાંગ ટ્રસ્ટ અને બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે દિવ્યાંગ લોકોના ગરબા યોજાયા હતા. જેમાં દાંતા સ્ટેટના મહારાજા પરમવીર સિંહ ખાસ હાજર રહ્યા હતા.

અંબાજી ખાતે નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પણ આજે અંબાજી ખાતે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ગરબે ઝુમતા જોવા મળ્યા હતા.ગરબા અગાઉ આરતી કરવામાં આવી હતી અને આરતીમાં પરમવીર સિંહ રાજવી જોડાયા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને પંચમહાલ જિલ્લાના…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *