Latest

રાધનપુર શહેરમાં નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ..

પાટણ. એઆર. એબીએનએસ : પહેલગામ હુમલામાં જે 27 સિંદૂરો આંતકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં 27 સિંદૂરો ઉજડ્યા જેનો બદલો લેવા માટે ભારતની નારી શક્તિ એવી આ દેશની દીકરીઓએ લેફ્ટનન્ટ કર્નલ યોમિકાસિંહ તથા સોફિયા કુરેશી દ્વારા ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું અને વિરોધીઓના ઘરમાં જઈ આંતકવાદીઓનો સફાયો કર્યો છે.ત્યારે ભારતની આ બંને મહાન દીકરીઓને અને ભારતની આર્મી અને વર્તમાન સરકાર ના પ્રયાસોને પ્રોત્સાહિત કરવા રાધનપુરની નારી શક્તિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાધનપુરના શિશુ મંદિર થી રામજી મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંનારી શક્તિ એ વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.

ત્યારે આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ, શિશુ મંદિર, ભાજપા સદસ્યો સહીત નારી શક્તિ દ્વારા રેલી યોજાઈ હતી.ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે, સૈનિકોનો જુસ્સો વધારવા તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ગાયત્રી પરિવાર સહીત પાલિકા પ્રમુખ ભાવના બેન જોશી અને બ્રહ્માકુમારીઝ અને તમામ સંસ્થા નારી શક્તિ જોડાઈ હતી.

રાધનપુર શહેરમાં નારી શક્તિ તિરંગા યાત્રાએ ભારતીય સેનાને સન્માન આપ્યું હતું પહેલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર વિજયની આન બાન શાન સાથે રાધનપુર માં ઉજવણી કરાઈ હતી.તિરંગા યાત્રા રાધનપુર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ જેમાં પાલિકા પ્રમુખ સહીત બ્રહ્માકુમારીઝ અને મોટી સંખ્યા માં મહિલાઓ નારી શક્તિ જોડાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *