Politics

કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

હેમુગઢવી હોલ ખાતે ‘મારું બુથ મારું ગૌરવ’ કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે કે તા.૧૬/૦૮/૨૦૨૨ ના રોજ હેમુગઢવી હોલ રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્રભરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા અને એકજૂથ બની કોંગ્રેસ પક્ષની વિચારધારાનો બહોળો પ્રચાર કરી ગુજરાત રાજ્યમાં સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામકૃષ્ણ ઓઝાજી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનણી, રાજસ્થાન સરકારના મંત્રી ભવરસિંહ ભાટીજી, રેવન્યુ મંત્રી સુખરામ બીશ્નોઈજી, જગદીશ ચંદ્રજી, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લાલિતભાઈ કાગથરા, ઋત્વિકભાઈ મકવાણા અને અમરીષભાઈ ડેર, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વીરજીભાઈ ઠુમર, લલિતભાઈ વસોયા, હર્ષદભાઈ રિબડીયા, ચિરાગભાઈ કાલરીયા, પ્રતાપભાઈ દુધાત, જાવેદ પીરજાદાજી, પ્રવીણભાઈ મૂછડીયા, કનુભાઈ બારીયા, નૌશાદભાઈ સોલંકી, ભીખાભાઈ જોશી, વિમલભાઈ ચુડાસમા, તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર, NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સમગ્ર સૌરાષ્ટ્રઝોનના ઉપપ્રમુખો અને મહામંત્રીઓ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી એ કર્યુ હતું અને આભારવિધિ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જૂનભાઈ ખાટરીયાએ કર્યું હતું અને સમગ્ર સંચાલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે કર્યુ હતુ.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *