Latest

અંબાજી ના બજારો બંધ જોવા મળ્યા, સુખદેવસિંહ ગોગામેડી ના હત્યાના વિરોધમાં સર્વ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું

સુખદેવસિંહ ગોગામેડી હત્યા સંદર્ભે શનીવારે સવારે 51 શક્તિપીઠ સર્કલ ખાતે તમામ સવારના લોકો એકઠા થવાના છે, જેમાં અંબાજી નગર ના તમામ હિંદુ સમાજ એકત્ર થઈ રાષ્ટ્રીય કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે જે માટે દરેક હિન્દુ સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મોટી સંખ્યામાં રેલી અને તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આગ્રહ ભરી વિનંતી કરાઈ છે.

જયપુરમાં થયેલા હત્યાકાંડને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે અને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠામાં વિવિધ ગામોમાં,વિવિધ જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન કરી લોકો સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે તે માટે હિન્દુ સમાજ સર્વ સમાજ ધંધા રોજગાર બંધ રાખીને આવેદન પત્ર આપીને ન્યાય માટે માંગ કરી રહ્યો છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *