bhavnagar

દેવળીયા ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ દુર કરવા આવેદન પત્ર આપ્યુ

આગામી ૧૨ તારીખ સુધીમાં ગૌચર દબાણ દૂર નહિ થાય તો કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી

ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના ગૌચરમાં દબાણ અને ખોદકામને લઈને ઉમરાળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે ગૌચર દબાણને પગલે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી

માલધારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં દબાણ દૂર કરવાના પ્રશ્નનુ નિરાકરણ લાવવા નહિ આવે તો આગામી તા.૧૨-૮-૨૪ ને સોમવારના રોજ માલધારીઓ માલ ઢોર સાથે મામલતદાર કચેરી સાથે તાલુકા પંચાયત કચેરીનો પણ ઘેરાવ કરવાની ચીમકી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ

રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

ભારે વરસાદની આગાહી તેમજ કાળુભાર ડેમ અને રંઘોળા ડેમનાં નીચાણવાળા ગામોની મુલાકાતે તંત્રના અધિકારીઓ

ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦…

1 of 44

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *