ગુજરાત સરકાર દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત
106 ગઢડા વિધાનસભા નાં ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયાજી તેમજ ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી વ્યાસ સાહેબની ઉપસ્થિતિમાં
તારીખ 26-6-2025 ના રોજ શ્રી એલ.પી.કાકડિયા વિદ્યાભવનમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. સુંદર મજાની પ્રાર્થના દ્વારા કાર્યક્રમને હકારાત્મક ઉર્જા મળી
સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને કીટ સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો ત્યાર બાદ ધોરણ-૧ માં પ્રવેશી રહેલા બાળકોને પણ કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. ધોરણ 9 માં પ્રવેશેલા ૧૩૦ વિદ્યાર્થીઓ માંથી પ્રતિકાત્મક રીતે પાંચ વિદ્યાર્થીઓને પુસ્તકો વિતરણ કરી ને પ્રવેશ કરાવ્યો
ગત વર્ષમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જિલ્લાસ્તરે પ્રદર્શન કરનાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી ને સન્માનિત કરવામાં આવ્યા.ધોરણ 9 ની વિધાર્થિની ચૌહાણ તન્વીબેને પર્યાવરણ વિષયક વક્તવ્ય આપ્યું
મુખ્ય મહેમાન વ્યાસ સાહેબે પોતાના પ્રેરક ઉદબોધનમાં પોતાની અંદર રહેલા હિરત્વને પારખવાની સલાહ આપી
લોકપ્રિય ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદ ટુંડીયાએ શાળાના ટ્રસ્ટી શ્રી સ્થાપક શ્રી મનહરભાઈ કાકડિયાની સખાવત ને બિરદાવીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો
તેમજ નવનિયુક્ત સરપંચશ્રી નારણભાઇ નું ધારાસભ્યશ્રી ના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું
શાળાની વિશાળ જગ્યામાં મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ
શાળાના આચાર્ય શ્રી અગરશંગભાઈ સોલંકીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ વાલીઓ, રાજકીય મહેમાનો અને મુખ્ય મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની સોલંકી પ્રાર્થનાબેને કર્યું હતું
નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વ્યાસ સાહેબ દ્વારા શાળામાં ચાલતા શિક્ષણ કાર્યની દરેક વર્ગમાં જઈને મુલાકાત લઇ ઉત્સાહપૂર્ણ નોંધ કરી હતી
ત્યારબાદ શાળાના સંચાલક મંડળ અને એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજાઈ અને સરકારશ્રીની વિધાર્થીલક્ષી યોજનાઓને બિરદાવી હતી
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર