
BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ લિખિત નિયમ ધર્મ ની વિસ્તૃત છણાવટ સાથેનો સત્સંગ દીક્ષા ગ્રંથ કે જેમાં ૩૧૫ સંસ્કૃત શ્લોકો આવેલા છે. જે જીવનમાં સામાજિક, આધ્યાત્મિક, કૌટુંબિક શાંતિ માટે ખુબ જ જરૂરી માહિતી સાથે જીવનના ઉચ્ચ મૂલ્યો ધરાવતો ગ્રંથ છે. પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજનાં એક સંકલ્પે BAPS નાં માત્ર ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળ બાલિકાઓએ માત્ર એક વર્ષમાં ૩૧૫ સંસ્કૃત શ્લોકો કંઠસ્ત કરી લીધા હતા.

ગત તારીખ ૨ ફેબ્રુઆરી ૨૦૨૬નાં રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના જન્મજયંતિ મહોત્સવ, અટલાદરા એટલે કે વડોદરા ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સમિતિનાં અનેક ઉચ્ચ અધિકારીઓની ટિમ દ્વારા વિસ્તૃત ચકાસણી બાદ BAPS સંસ્થાને એક સાથે ૧૫૬૬૬ બાળ વિદ્વાનો દ્વારા આ સંસ્કૃત શ્લોકોનાં સમૂહગાન ને પ્રતિષ્ઠિત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન આપવામાં આવ્યું હતું.
આ ૧૫૬૬૬ બાળ વિદ્વાનોમાં ભાવનગરનાં ૪૦૬ બાળ બાલિકા વિદ્વાનો હતા જે આપણા ભાવેણા માટે ગૌરવ લેવા જેવું છે. આ બાળ વિદ્વાનો ને સત્કારવા, અભિવાદન કરવાં માટે અક્ષરવાડી ખાતે રવિ સત્સંગ સભામાં આ તમામ બાળ વિદ્વાનોને પૂજ્ય સંતો અને ઉપસ્થિત ભાવનગરનાં પોલીસ અધિકારીશ્રી સિંઘોલ સાહેબ, સૌરાષ્ટ્ર સમાચારનાં વરિષ્ઠ એવાં શ્રી તારકભાઈ શાહ દ્વારા બાળકો પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી. આ તમામ બાળકોને એક નવી ઉર્જા મળે અને જીવનમાં બહુ મૂલ્યો દ્વારા જીવન ઉચ્ચ કક્ષાએ મળે તેવાં પ્રયત્નો સંસ્થાનાં સંતો અને અનેક બાળ કાર્યકરો રાત દિવસ જોયા વગર આ બાળ વિદ્વાનો અને વિવિધ વિસ્તારોમાં ચાલતી બાળ સભાઓ દ્વારા બાળકોના આધ્યાત્મિક વિકાસ માટે સેવામાં જોડાયેલા છે અને ગુરુ મહંત સ્વામિ મહારાજને રાજી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવતી ૨ એપ્રિલ થી ૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી મહંત સ્વામિ મહારાજ ભાવનગરનાં આંગણે પધારે છે ત્યારે વિશેષ કરીને ભાવનગર અક્ષરવાડી મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે નિમિતે વિશેષ કાર્યક્રમોની શૃંખલા જોવાં મળશે.
















