Devotional

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

“માનસ મેઘાણી” સપ્તમ દિવસની રામકથા શિવ વિવાહથી સંપન્ન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા )
બગસરા એટલે મેઘાણીની કર્મભૂમિ અને એક રીતે તેમની તપોભૂમિ પણ ગણી શકાય તેના આંગણામાં ગવાઇ રહેલી” માનસ મેઘાણી” રામકથામાં આજે સાહિત્યકારો,પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

અને મોટી સંખ્યામાં આસપાસના ભાવિકો પણ ઉમટી પડ્યા હતા
આજના કથાના પ્રારંભમાં વિવિધ પુસ્તકોનું લોકાર્પણ થયું હતું જેમાં બહાદુરભાઈ વાળાની રચના કલબલિયા,ડો વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ” અલખના આરાધક” ડો.સંજય દવેના પુસ્તક લોક સંવેદના સર્જક મેઘાણી તથા નીતિન વડગામા સંપાદિત રામકથા માનસ સંવાદનું રુપ નિદર્શન થયું હતું.

પૂ.મોરારિબાપુએ ‘માનસ મેઘાણી’ના સંવાદમાં પ્રવેશ કરતા કહ્યું કે પાંચ વસ્તુ એ મારી પાસે છે તેમાં પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચન. મેઘાણી એક શબ્દથી આખું આકાશ પોતાની બાથમાં લઈ લે છે. મેઘાણીનો શબ્દ સ્પર્શ કરે છે. તેમાં કોઈ જાતિ વિકાર પણ નથી. મેઘાણી આપણી મોંઘી ઝવેરાત છે.

આજે કથાના ક્રમમાં બાપુએ સતીના પુર્નજન્મ પછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે સતીનું અવતરણ અને પછી શિવ વિવાહનો પ્રસંગ ખૂબ ભાવુક રીતે પ્રસ્તુત કરીને સૌને કરુણા સભર કર્યા હતા.
આજે કથામાં અભેસિંગ, રાઠોડ ચલાલાના મહંત પૂ.મહાવીર બાપુ સતાધારના પૂ. મહંત વિજય બાપુ તથા મેઘાણીભાઈના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે.…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *