bhavnagar

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

આજના આ કઠિન કાળમાં દરેક કુટુંબની અંદર ઉદભવતા પ્રશ્ન જેવા કે પતિ- પત્નીના પ્રશ્ન , માતા- પિતાના પ્રશ્ન, સાસુ-વહુના પ્રશ્ન, બાળકના પ્રશ્ન, સંપ અને એકતા ના પ્રશ્નો તથા માનવ માનસની અંદર વધતી જતી કલહ, ઈર્ષા, અદેખાઈ તથા કુસંપ અને વ્યસનને કારણે જીવન અધોગતિને પામે છે, તેમાંથી ઉગરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એટલે આધ્યાત્મિક માર્ગ

એટલે જ તો શાસ્ત્રોમાં કહ્યું છે કે બળતો જળતો આત્મા , સંત સરોવર જાય . સત્સંગ રુપી લહેરમાં તરત ટાઢો થાય.

સમાજમાં પારિવારિક એકતા લાવવા માટે રામાયણ એ આદર્શ પ્રેરણા ગ્રંથ છે, ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી, ભરતજી અને હનુમાનજી વગેરેના જીવન મૂલ્યો દ્વારા આપણે આપણા “જીવનમાં આદર્શ કૌટુંબિક એકતા” સાધવાનો પ્રયાસ કરીએ . બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા આયોજિત..

ગ્રીષ્મ પારાયણ – 2026
રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા આ વિષયક
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડાના વરિષ્ઠ સંત અને સુપ્રસિદ્ધ કથાકાર એવા પૂજ્ય જનમંગલ સ્વામીના મુખે રસાળ, માર્મિક અને શુદ્ધ કાઠીયાવાડી શૈલીમાં ચતુર્દિવસીય ગ્રીષ્મ સંત પારાયણ પ્રાપ્ત નો લાભ પ્રાપ્ત થનાર હોય સર્વ ધર્મ પ્રેમી જનતા સસ્નેહ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

તારીખ 14 થી 16 મે , સમય : રાત્રિના નવ કલાકથી ….સ્થળ:- પ્રમુખ વાટિકા, જાદરા રોડ ડૉ . વળીયા સાહેબના ઘર પાસે, મહુવા.
તથા આ પારાયણની પૂર્ણાહુતિ.. તારીખ 17/ 5 /2026 રવિવારના સાંજે 5:30 કલાકથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મહુવા ના સભામંડપ માં,રવિ સભા દરમિયાન થનાર હોય દરેક હરિભક્તો તથા સહ પરિવાર મિત્ર મંડળને સમયસર અવશ્ય પધારવા નિમંત્રણ છે

માનવ જીવનના મૂલ્યોને સાર્થક કરવા માટે તથા સનાતન હિન્દુ જીવનના લક્ષ્ય ને ઉજાગર કરવા માટે આપણે આ સંત પારાયણ નો અવશ્ય લાભ લઈએ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *