Latest

વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ

ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ

જામનગર, અમિત માંડવીયા, એબીએનએસ: ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણીની અછત વચ્ચે અબોલ વન્યજીવોની તરસ છિપાવવા માટે જામનગર વન વિભાગે એક પ્રશંસનીય અને માનવીય અભિગમ અપનાવ્યો છે. વન્યપ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણમાં જ સરળતાથી પાણી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા કુલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે,

જે હાલમાં વન્યજીવો માટે ખરા અર્થમાં જીવનદાયી સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આ વોટરપોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ક્ષેત્રીય સ્ટાફ દ્વારા રાત-દિવસ દેખરેખ રાખવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સોલાર વોટર પંપ, પાણીના ટેન્કર તેમજ ડંકી જેવા આધુનિક અને પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુવિધાને કારણે વન્યજીવોને ઉનાળાના કપરા સમયમાં પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવાની જરૂર પડતી નથી.

વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા વોટરપોઈન્ટ્સ પર ટ્રેપ કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરાના ફૂટેજમાં શિડયુલ-૧ હેઠળ આવતા અત્યંત મહત્વના પ્રાણીઓ જેવા કે દીપડા, રાષ્ટ્રીય પક્ષી મોર, વિવિધ તૃણાહારી પ્રાણીઓ જેવા કે હરણ, નીલગાય અને પક્ષીઓ નિર્ભય બનીને પાણી પીતા હોવાનું સ્પષ્ટપણે નોંધાયું છે.

આ દ્રશ્યો વન વિભાગ દ્વારા કરવામાં આવતી વન્યજીવ સંરક્ષણલક્ષી કામગીરીની અસરકારકતા અને સફળતાના પુરાવા આપે છે. વન્યજીવ સંરક્ષણ અને જૈવ-વૈવિધ્યની જાળવણી એ જામનગર વન વિભાગની પ્રાથમિકતા રહી છે અને વિભાગ દ્વારા આવી પ્રકૃતિલક્ષી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. જામનગર વન વિભાગની આ જીવદાયી કામગીરી પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સંવેદનશીલ અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *