Latest

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત.જુનાગઢ ખાતે રેલવે વિભાગ ના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત કરતું પ્રતિનિધિ મંડળ…

હવે સાંસદ સુતરીયા ને સાથે રાખી માનનીય વડાપ્રધાન ને મૌખિક લેખિત રજૂઆત કરવા જાશે ધારી પત્રકાર સંઘ

ધારી પત્રકાર સંઘ, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, એડવોકેટ નયનભાઈ જોશી, દીલીપભાઈ કાનાબાર, ગજેન્દ્ર ભાઈ વાળા જોડાયા

આજના આધુનિક યુગમાં નાના શહેરો ને બ્રોડગેજ થી જોડી ને કનેક્ટિવિટી આપવામાં આવે છે ત્યારે અમરેલી થી વિસાવદર સુધી આઝાદી કાળ થી દોડી રહેલ મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની માંગ સોશિયલ મીડિયા અને મિડિયા ના માધ્યમથી મિશન બ્રોડગેજ નાં નામે ચલાવવામાં આવી રહી છે ત્યારે ધારી પત્રકાર સંઘ દ્વારા બિનરાજકીય મુહીમ ના ભાગરૂપે મિશન બ્રોડગેજ, જનજાગૃતિ અભિયાન, સહી ઝુંબેશ હાથ ધરવામાં આવેલ.

આ મિશન બ્રોડગેજ ને અમરેલી બ્રોડગેજ કમેટી , સ્થાનિક રાજકીય આગેવાઓ, સામાજિક સંસ્થાઓ ના પ્રમુખો, ચેમ્બર ઓફ કોમર્સ ધારી તેમજ વિસાવદર દ્વારા જાહેર સમર્થન આપેલ છે. ધારી ચલાલા વિસાવદર ને દેશના વિવિધ રાજ્યો સાથે કનેક્ટિવિટી મળે એવા ઉદેશ્ય સાથે અમરેલી જિલ્લા કલેકટર અધિકારી તેમજ સાંસદ ભરતભાઈ સુતરીયા ને લેખિત આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.

ત્યારબાદ વિસાવદર શહેરમાં જનજાગૃતિ અભિયાન, સહી ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવી અને જે અંતર્ગત વિસાવદર રેલ્વે સ્ટેશન ખાતે ધારી પત્રકાર સંઘ, વિસાવદર ના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જાગૃત નાગરિકો ની હાજરી માં આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ.

લોકોના હિત માટે ધારી ચલાલા વિસાવદર શહેર તેમજ તાલુકા ની જનતા ના સર્વાંગી વિકાસ માટે તા. ૧૪/૦૬/૨૦૨૬ ના રોજ જુનાગઢ ખાતે ઈન્સપેકશન માં આવેલ રેલ્વે ના જી.એમ ને મૌખિક અને લેખિત રજૂઆત કરવા માટે પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું.

આ પ્રતિનિધિ મંડળ માં ધારી પત્રકાર સંઘ, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપ ભાઈ કાનાબાર, એડવોકેટ નયનભાઈ જોશી, સામાજિક આગેવાન ગજેન્દ્ર ભાઈ વાળા જોડાયા હતા.

અમરેલી થી વિસાવદર – જુનાગઢ તેમજ વિસાવદર થી સોમનાથ સુધીની બ્રોડગેજ ની વ્યાજબી માંગ સાથે ગયેલ પ્રતિનિધિ મંડળે મૌખિક રજૂઆતો તેમજ લેખિત રજૂઆત કરી હતી. રેલ્વે વિભાગ ના જી.એમ દ્વારા સમગ્ર રજુઆત ને ધ્યાન થી સાંભળવામાં આવેલ હતી. તેમજ રજુ કરવામાં આવેલ લેખિત મુદ્દે રેલ્વે વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને યોગ્ય માંગ ને ન્યાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

અમરેલી થી વિસાવદર – જુનાગઢ બ્રોડગેજ સુવિધા અતિ જરૂરી : માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા…. રેલ્વે વિભાગ ના જનરલ મેનેજર જુનાગઢ ખાતે મુલાકાતે પધારેલા હતા ત્યારે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરતી વેળાએ વિસાવદર ના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ જણાવ્યું હતું કે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાને જોડતી મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. આ રૂટ હાલ મુસાફર જનતા માટે બ્રોડગેજ સુવિધા ખુબજ જરૂરી ઉપયોગી સાબિત થશે. અમરેલી સુધી બ્રોડગેજ ની કામગીરી પુર્ણતા ને આરે છે ત્યારે અમરેલી થી વિસાવદર – જુનાગઢ સુધી ની મીટર ગેજ ટ્રેન સુવિધા ને બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે. આ વિસ્તારમાં જ્યાર થી ટ્રેન સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારથી લયને અત્યાર સુધી માં એકપણ જંગલના પ્રાણીઓનુ અકસ્માત થયાનો બનાવ બનેલ નથી.

અમરેલી થી વિસાવદર જુનાગઢ વચ્ચે અમુક મીટર માં ઈક્કો સેન્સિટિવ ઝોન વિસ્તાર આવેલો છે ત્યારે પ્રજાના હિત માટે જરૂરી અમરેલી થી વિસાવદર – જુનાગઢ સુધી ની બ્રોડગેજ સુવિધા ને તાત્કાલિક મંજુર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

બ્રોડગેજ સુવિધા થી અમારા વિસ્તાર નો વિકાસ થશે :- ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દિલીપ ભાઈ કાનાબાર …. જુનાગઢ ખાતે ઈન્સપેકશન માં પધારેલા રેલ્વે વિભાગ ના જનરલ મેનેજર ને લેખિત આવેદનપત્ર આપતી વેળાએ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિલીપ ભાઈ કાનાબારે માંગ કરી હતી કે અમરેલી થી વિસાવદર અને વિસાવદર થી જુનાગઢ સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં આવે તો અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાનો વિકાસ થય શકે છે.

મુસાફર જનતા ને કનેક્ટિવિટી પણ મળશે અને રેલ્વે વિભાગ ને પુરતા પ્રમાણમાં મુસાફરો પણ મળશે . જુનાગઢ ખાતે ના ફાટક ના પ્રશ્ને તેઓએ જણાવ્યું હતું કે વિસાવદર થી જુનાગઢ સુધી ની બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે અને રેલ્વે સ્ટેશન જે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે રેલ્વે સ્ટેશન નહીં પરંતુ રૂટ ફેરવી ને જુનાગઢ રેલ્વે સ્ટેશન સાથે કનેક્ટીવીટી યથાવત રાખવામાં આવે. ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અને મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત અમરેલી થી વિસાવદર – જુનાગઢ સુધી ની બ્રોડગેજ ની માંગ વ્યાજબી પણ છે અને હીતાવહ પણ છે જેને તાત્કાલિક ધ્યાન માં લેવામાં આવે.

મિશન બ્રોડગેજ માટે સાંસદ સુતરીયા ને સાથે રાખી માનનીય વડાપ્રધાન ને રજુઆત કરવામાં આવશે : ધારી પત્રકાર સંઘ….. અમરેલી થી વિસાવદર – જુનાગઢ બ્રોડગેજ મુદ્દે બિન રાજકીય મિશન ચલાવી રહેલ ધારી પત્રકાર સંઘ ના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ પત્રકાર મિત્રો એ જણાવ્યું હતું કે ધારી ચલાલા વિસાવદર ને દેશના વિવિધ રાજ્યોના મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળે એ માટે ના પ્રયાસો ના ભાગરૂપે હવે પછી અમરેલી ના સાંસદ ભરતભાઈ સુતરીયા ને સાથે રાખી ને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રૂબરૂ મળવા માટે અને રજુઆત માટે ધારી પત્રકાર સંઘ જવાનો છે. લોકોના હિત માટે, અમરેલી થી વિસાવદર જુનાગઢ સુધીની બ્રોડગેજ મુહિમ અંતર્ગત અમો સહુ જાગૃત પત્રકારો જ્યાં સુધી બ્રોડગેજ સુવિધા આપવામાં ન આવે ત્યાં સુધી બિન રાજકીય મિશન ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવતા રેહશુ. સરકાર અને રેલ્વે વિભાગ અમારી વ્યાજબી માંગ ને વ્હેલા માં વ્હેલી તકે ઉકેલી આપે તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 135

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *