અમરેલી થી વિસાવદર મિશન બ્રોડગેજ અંતર્ગત
નબાપરા ના લોકોનું જબરૂ સમર્થન – જનજાગૃતિ સભા નું આમંત્રણ આપ્યું
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ.લાખો લોકોનું સપનું સાકાર થાય એ માટે ધારી પત્રકાર સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અભિયાન અંતર્ગત વધુ એક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ મુજબ સવારે ૧૦:૦૦ કલાકે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના સ્ટેચ્યુ ને જળ સ્નાન કરાવી હારતોરા સાથે શંખનાદ કરવામાં આવેલ.
આ સાથેજ સંવિધાન ના ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ખાતે તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ ખાતે ફુલહાર કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન હરેશભાઈ મકવાણા, નગરપાલિકા સદસ્ય બાલાભાઈ વાડદોરીયા, ગૌતમ ભાઈ દાફડા, જીતુભાઈ જયસ્વાલ, બજરંગ ગ્રુપ ના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી સહિત જાગૃત નાગરિકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે નબાપરા વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ ખાતે ૫૦ જેટલા સ્થાનિક નાગરિકો એ હાજરી આપી અને આ મિશન ને સમર્થન આપીને નબાપરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવાનું આમંત્રણ આપેલ હતુ. જે અંગે કાર્યક્રમ ની રૂપરેખા ઘડી ને ધારી પત્રકાર સંઘ આગામી દિવસોમાં જાહેરાત કરશે.
બ્રોડગેજ સુવિધા મળે તો વેપાર ઉદ્યોગ ની વૂધ્ધિ થશે – બાલાભાઈ વાડદોરીયા (ધારી નગરપાલિકા સદસ્ય) .. ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ માં આજરોજ નગરપાલિકા સદસ્ય બાલાભાઈ વાડદોરીયા એ હાજરી આપી હતી અને આ બિનરાજકીય મિશન ને સંપુર્ણ વ્યાજબી ગણાવેલ હતું.
આ સાથેજ તેઓએ માંગ કરી છે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તો વેપાર અને વહેવાર બન્ને માટે મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે. ખાસ કરીને ધારી ચલાલા વિસાવદર વિસ્તાર ના હજારો લોકો સુરત અમદાવાદ સાથે કનેક્ટીવીટી ઈચ્છી રહ્યા છે. ગીર વિસ્તાર ના વિકાસ માટે બ્રોડગેજ સુવિધા ખુબખુબ જરૂરી છે.
ખાસ કરીને ધારી ચલાલા વિસાવદર આસપાસ આવેલા ધાર્મિક સ્થળો ની મુલાકાતે પ્રવાસીઓ પણ વધુ ઉમટશે. જેથી જનતાને ઉપયોગી બ્રોડગેજ સુવિધા વ્હેલા માં વ્હેલી તકે આપવામાં આવે તેવી માંગ ધારી નગરપાલિકા ના સદસ્ય બાલાભાઈ વાડદોરીયા એ કરી હતી
બ્રોડગેજ સુવિધા પ્રવાસનધામો માટે વિકાસ શીલ – હરેશભાઈ મકવાણા ( સામાજિક આગેવાન) …. અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ ની સાથે ખંભે થી ખંભો મિલાવી હંમેશા દરેક જનજાગૃતિ અભિયાન માં હાજરી આપનાર હરેશભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર મંદિર, તુલસીશ્યામ ગીર, સતાધાર પરબધામ જેવી ધાર્મિક સ્થળો એ દેશભરના પ્રવાસીઓ ચોક્કસ પણે પધારશે .
સાથેજ બ્રોડગેજ સુવિધા નો લાખો લોકો જ્યારે ભરપુર લાભ ઉઠાવશે ત્યારે હાઈવેટ્રાફિક અને હાઈવે અકસ્માત ની ધટનાઓ માં પણ ધટાડો આવશે . અમરેલી જીલ્લા ના લાખો લોકો અત્યારે મોટા શહેરો સાથે કનેક્ટીવીટી ધરાવતા નથી પરંતુ જો અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તો વેપાર ઉદ્યોગ ને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
















