Ahmedabad

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત: શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી હતી.

શિક્ષણ મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ આઈ.ટી. નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શિક્ષણ મંત્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ જે. ચુડાસમા, ગુજરાત સરકારના ટેકનીકલ એક્સપર્ટ અને સિનિયર એડવાઈઝર ડૉ. રામજી સિંગ, ધીરજ રાઠોડ, હરિભાઈ પારેખ, જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર અને ગ્રામ્ય, DPEO અમદાવાદ તેમજ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના આચાર્ય તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કામગીરીની સમીક્ષા સહિત શાળાઓને પડતી મુશ્કેલીઓની માહિતી મેળવીને તેના નિવારણની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વધુમાં, શિક્ષણ મંત્રીએ ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ, રાયખડના કેમ્પસમાં આવેલ વોકેશનલ ગાઇડન્સ ઓર્ગેનાઈઝેશન સંસ્થાની પણ મુલાકાત લીધી હતી. શિક્ષણ મંત્રીએ સંસ્થા દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ, તેમણે NEP-2020માં સૂચવ્યા મુજબ કૌશલ્ય આધારિત શિક્ષણને સઘન બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યાં હતાં.

ત્યારબાદ શિક્ષણ મંત્રી જિલ્લા પંચાયત, અમદાવાદ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ સર્વે હાજર પદાધિકારીઓ સાથે વિવિધ બાબતો અંગે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને જિલ્લામાં ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરવા અંગે સર્વેને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત, શિક્ષણ મંત્રીએ અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

મંત્રીની મુલાકાત સમયે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા સભ્યો સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ/ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

22 જાન્યુઆરીએ મોડાસા ખાતે ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિકિટી પ્રદર્શન વાહન કવાયતનું આયોજન યોજાશે.

સંજીવ રાજપૂત, અમદાવાદ: ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન…

અબોલ પક્ષીઓના જીવ બચાવી મુખ્યમંત્રીના કરુણા અભિયાનને સતત સાર્થક કરતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણના પર્વમાં પતંગ રસિકો માટે પતંગ ઉડાવવાનો અનેરો…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *