Ahmedabad

આજે સાંજે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજશે

એબીએનએસ અમદાવાદ: ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાવા જઈ રહયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનીત કરવામાં આવશે.

આ પદવીદાન સમારોહમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પ્રયાસવીનભાઈ પટેલ તથા ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એન્જિનિયર ભિખુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ પદવીદાન સમારોહ તા ૨૯ જાન્યુઆરીના રોજ સાંજના ૦૬-૦૦ કલાકે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *