bhavnagar

જીવદયા માટે જાગૃતિ : પક્ષીઓની જિંદગી પંતગની દોરીથી કપાય ન જાય તે જોજો

પક્ષીઓની જિંદગી બચવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પોસ્ટર આ અભિયાન

(ભાવનગર તા.8/1/2025)
ઉત્તરાયણ નજીક આવી રહી છે. 14 જાન્યુઆરી અને તેના નજીકના દિવસોમાં આકાશ પતંગોથી ભરાય જશે. પતંગ ચડાવવો એ આપણો શોખ હોય શકે, પરંતુ અબોલ જીવને બચાવવા તે આપણી માનવીય ફરજ છે. ત્યારે આપણે 5 કે10 મિનિટની મજા માટે નિર્દોષ પક્ષીઓની જિંદગી છીંનવી ન લઈએ તે જોવું રહ્યું.

દરેક પક્ષીને પોતાના બચ્ચા અને પરિવાર હોય છે. સવારમાં વહેલા અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં ઉડતા હોય છે. માટે વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જીવદયા માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી સોશિયલ મીડિયા મારફત પ્રેરણા ફાઉન્ડેશન પ્રચારની ઝૂંબેશ કરી રહ્યું છે.

જીવદયાથી શ્રેષ્ઠ કોઈ સેવા ન હોય શકે, કોઈ માણસ બિમાર પડે તો તેના માટે તેના સગા સંબધી, મિત્રો સૌ કોઈ ખર્ચ કરે, હોસ્પિટલ લઈ જાય, ઈલાજ કરાવે, પરંતુ આ અબોલ જીવ પશુ પક્ષીઓની વેદના કોણ સાંભળશે !? તેની સારવાર માટે કરાવે ? આ વાત ને લઈ પ્રેરણા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સની સતર્કતાને કારણે, ત્રણ સિંહોને માલગાડીની ટક્કરથી બચાવી લેવામાં આવ્યા

ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યપ્રાણીઓના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં…

1 of 58

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *