bhavnagar

જીવદયા માટે જાગૃતિ : પક્ષીઓની જિંદગી પંતગની દોરીથી કપાય ન જાય તે જોજો

પક્ષીઓની જિંદગી બચવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પોસ્ટર આ અભિયાન

(ભાવનગર તા.8/1/2025)
ઉત્તરાયણ નજીક આવી રહી છે. 14 જાન્યુઆરી અને તેના નજીકના દિવસોમાં આકાશ પતંગોથી ભરાય જશે. પતંગ ચડાવવો એ આપણો શોખ હોય શકે, પરંતુ અબોલ જીવને બચાવવા તે આપણી માનવીય ફરજ છે. ત્યારે આપણે 5 કે10 મિનિટની મજા માટે નિર્દોષ પક્ષીઓની જિંદગી છીંનવી ન લઈએ તે જોવું રહ્યું.

દરેક પક્ષીને પોતાના બચ્ચા અને પરિવાર હોય છે. સવારમાં વહેલા અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં ઉડતા હોય છે. માટે વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જીવદયા માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી સોશિયલ મીડિયા મારફત પ્રેરણા ફાઉન્ડેશન પ્રચારની ઝૂંબેશ કરી રહ્યું છે.

જીવદયાથી શ્રેષ્ઠ કોઈ સેવા ન હોય શકે, કોઈ માણસ બિમાર પડે તો તેના માટે તેના સગા સંબધી, મિત્રો સૌ કોઈ ખર્ચ કરે, હોસ્પિટલ લઈ જાય, ઈલાજ કરાવે, પરંતુ આ અબોલ જીવ પશુ પક્ષીઓની વેદના કોણ સાંભળશે !? તેની સારવાર માટે કરાવે ? આ વાત ને લઈ પ્રેરણા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં ઉત્તરાયણ પર્વે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ચાર હેલ્પલાઇન વાન ડૉક્ટર સ્ટાફ સાથે તૈનાત કરાશે.

પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પ્રેરણા ફાઉન્ડેશનની જીવદયા માટે અપીલ જીવદયા: પક્ષીઓની…

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

સદગુરુ શ્રી બજરંગદાસબાપના ધામમાં તા.6 જાન્યુઆરી, 2026 ને મંગળવારના રોજ એક લાખથી…

સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

ભાવનગર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી વર્ષ ૨૦૨૫-૨૬ નું વર્ષ…

1 of 70

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *