bhavnagar

જીવદયા માટે જાગૃતિ : પક્ષીઓની જિંદગી પંતગની દોરીથી કપાય ન જાય તે જોજો

પક્ષીઓની જિંદગી બચવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા પોસ્ટર આ અભિયાન

(ભાવનગર તા.8/1/2025)
ઉત્તરાયણ નજીક આવી રહી છે. 14 જાન્યુઆરી અને તેના નજીકના દિવસોમાં આકાશ પતંગોથી ભરાય જશે. પતંગ ચડાવવો એ આપણો શોખ હોય શકે, પરંતુ અબોલ જીવને બચાવવા તે આપણી માનવીય ફરજ છે. ત્યારે આપણે 5 કે10 મિનિટની મજા માટે નિર્દોષ પક્ષીઓની જિંદગી છીંનવી ન લઈએ તે જોવું રહ્યું.

દરેક પક્ષીને પોતાના બચ્ચા અને પરિવાર હોય છે. સવારમાં વહેલા અને સાંજે પક્ષીઓ ખોરાકની શોધમાં ઉડતા હોય છે. માટે વહેલા સવારે અને સાંજે પતંગ ન ચડાવવા પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
જીવદયા માટે લોકો માં જાગૃતિ આવે તે હેતુથી સોશિયલ મીડિયા મારફત પ્રેરણા ફાઉન્ડેશન પ્રચારની ઝૂંબેશ કરી રહ્યું છે.

જીવદયાથી શ્રેષ્ઠ કોઈ સેવા ન હોય શકે, કોઈ માણસ બિમાર પડે તો તેના માટે તેના સગા સંબધી, મિત્રો સૌ કોઈ ખર્ચ કરે, હોસ્પિટલ લઈ જાય, ઈલાજ કરાવે, પરંતુ આ અબોલ જીવ પશુ પક્ષીઓની વેદના કોણ સાંભળશે !? તેની સારવાર માટે કરાવે ? આ વાત ને લઈ પ્રેરણા ફાઉન્ડેશન આગળ આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *