bhavnagar

હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ભાવનગર, એબીએનએસ: ભાવનગર જિલ્લાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ રસપૂર્વક નિહાળ્યો હતો.

આ મહોત્સવમાં ગામના કલાકારો, યુવક-યુવતીઓ તથા બાળકલાકારો દ્વારા લોકનૃત્ય, લોકસંગીત અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામ્ય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા અને લોકજીવનની ઝાંખી રજૂ કરતાં આ કાર્યક્રમને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યો હતો.

ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાઓ ભારતની ઓળખ છે અને આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર, એકતા અને આત્મગૌરવની ભાવના મજબૂત બને છે. હણોલ ગામે લોકભાગીદારીથી આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાનું સુંદર ઉદાહરણ સર્જાયું હતું.

આ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *