bhavnagar

જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે યોજાયેલ ધ્વજ વંદન તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક અને મુખ્યમંત્રી ચંદ્રક વિતરણ કાર્યક્રમ

આજરોજ 15 ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે મ . કૃ યુનિવર્સિટીના પૂર્વ ઇ.સી. સભ્ય , પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ભાવનગર જિલ્લા હોમગાર્ડના કાયદાકીય સલાહકર્શ્રી ડૉ.શિશિર ત્રિવેદીના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આજના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડ દળમાં નોંધપાત્ર સિધ્ધિને સમર્પણ, સખત પરિશ્રમ અને નિષ્કામ સેવાની ફરજની નિષ્ઠા થકી હોમગાર્ડ દળને સન્માન અપાવતા ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી શંભુસિંહ સરવૈયાને અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી ચંદ્રક સન્માન પત્ર તેમજ કંપની કમાન્ડર શ્રીકિરીટ જોશીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021 માં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રપતિ ચંદ્રક સન્માન પત્ર તેમજ શ્રી પી એન ચૌહાણને જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી ચંદ્રક અને સન્માન પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર શહેર યુનિટના મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી, ધર્મિષ્ઠાબેન દવે દ્વારા ઈરા ઈન્સ્ટિટ્યૂટ ખાતે નારી પ્રતિષ્ઠા સેમિનાર

તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ શનિવારના રોજ પાલીતાણાના સરકારી હોસ્પિટલની સામે, તળેટી રોડ…

ભારે વરસાદની આગાહી તેમજ કાળુભાર ડેમ અને રંઘોળા ડેમનાં નીચાણવાળા ગામોની મુલાકાતે તંત્રના અધિકારીઓ

ભાવનગર જિલ્લામાં અતીભારે વરસાદની આગાહી હોય તેમજ ઉમરાળા તાલુકાનો કાળુભાર ડેમ ૧૦૦…

1 of 44

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *