bhavnagar

ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે Maruti Suzuki Ind Pvt Ltd. ના સહયોગથી ભરતી મેળો યોજાયો.

ગઢડા તાલુકાની આજુબાજુના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે આશય સાથે આજ રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગઢડા ખાતે Maruti Suzuki Ind. Pvt. Ltd – બેચરાજી પ્લાન્ટ દ્વારા ભરતી મેળો યોજાયો. જેમાં ૮૯ ઉમેદવારો હાજર રહ્યા હતા તેમાંથી ૪૯ ઉમેદવારોને ફાઈનલ ઇન્ટરવ્યુંમાં પસંદગી આપી હતી.

આ ભરતી મેળા કાર્યક્રમમાં સંસ્થાના આમંત્રણને માન આપીને ગઢડા તાલુકાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા , ગઢડા નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, એકાઉન્ટન્ટ રાજુભાઈ સોમાણી ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપીને યુવાનોને રોજગારી માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ ભરતી મેળામાં મારુતિ સુઝુકી કંપનીના HR મેનેજર ચિરાગભાઈ ડોડીયા , સ્કીલ સોર્સ કંપનીના સીનીયર મેનેજર હિતેશભાઈ સમાજપતિ ઉપસ્થિત રહી ઉમેદવારોની નોંધણી અને ઇન્ટરવ્યૂ લઈ ફાઈનલ પસંદગી કરવામાં આવી હતી.

સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડી.ડી.લાઠીયાએ સ્વાગત પ્રવચન આપેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કર્મચારી એન.બી.તુવારે કર્યું હતું તેમજ આભાર વિધિ ઇન્ચાર્જ ફોરમેનજે.એમ. કંડોલીયાએ કરી હતી. સંસ્થાના દરેક કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક આ ભરતી મેળામાં ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *