bhavnagar

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં વસતા નિરાધાર વડીલો દ્વારા નવરાત્રિ દરમિયાન માતાજીની આરતી અને સ્તુતિ રોજ કરવામાં આવે છે.

આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિનું પર્વ, નવરાત્રિના નવ દિવસ દરમિયાન માઇભકતો આદ્યશક્તિની જુદી જુદી રીતે આરાધના- ઉપાસના કરતા હોય છે. તેમજ લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ ગરબાના તાલે રમી અને ગરબાનો આનંદ માણતા હોય છે.

યુવક યુવતીઓની જેમ આ સંસ્થામાં રહેતા વડીલો પણ ગરબે રમી શકે તે માટે સંસ્થાના સંચાલક વિજયભાઇ કંડોળીયા તેમજ તેમની ટીમ દ્વારા વડીલોને ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર કરી અને ગરબાના તાલે ગરબા લઇ શકે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

યુવા વર્ગને પણ શરમાવે તેવા રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને 80- 90 વર્ષ ની ઉંમર વટાવી ચૂકેલા વડીલો ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા અને તેમના બાળપણના દિવસોને યાદ કર્યા હતા અને માતાજી પ્રત્યે નો ભાવ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં દાતાઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં દર્શન માટે આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની અનોખી ભેટ

સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના…

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલભીપુર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વલભીપુર તાલુકાના સાલપરા ગામે આવેલ…

1 of 65

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *