bhavnagar

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા

પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ભાવનગર થી પાલીતાણા આવતી વખતે રસ્તામાંથી પર્સમાંથી એક સોનાના દાગીના ની ચોરી થઈ હતી જે સંદર્ભમાં મહિલાના પરિવારજનો દ્વારા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા તેમજ પૂર્વ પ્રમુખ અશોકભાઈ નૈનાણી નો સંપર્ક મહિલા પેસેન્જર અને તેના સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો

જેના અનુસંધાનમાં બંને આગેવાનોએ ભારત સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્ય તરીકે રેલવે સ્ટાફને તેમજ રેલવે પોલીસ ને સંબંધિત સૂચનો કરતા તાત્કાલિક ધોરણે કામગીરી માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ કામગીરી દરમિયાન બંને આગેવાનો દ્વારા ભાવનગર લોકસભાના સાંસદ શ્રી મતી નિમુબેન બાંભણિયા ના પીએ પ્રકાશભાઈ નો સંપર્ક કરતા તેમને પણ રેલવે પોલીસને તેમજ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી

જે અંતર્ગત તે દિવસ રાત્રે જ સ્ટાફ તેમજ રેલવે પોલીસની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી રહી હતી અને તે સોનાનો દાગીનો મેળવવામાં સફળતા મળી હતી. ભરતભાઈ માંડલિયા તેમજ અશોકભાઈ નૈનાણીએ બંને સ્ટાફ તેમજ રેલવે પોલીસનો વ્યક્તિગત આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પેસેન્જરે હર્ષની લાગણી સાથે આ બંને આગેવાનો તેમજ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો

અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *