bhavnagar

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા

પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ભાવનગર થી પાલીતાણા આવતી વખતે રસ્તામાંથી પર્સમાંથી એક સોનાના દાગીના ની ચોરી થઈ હતી જે સંદર્ભમાં મહિલાના પરિવારજનો દ્વારા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા તેમજ પૂર્વ પ્રમુખ અશોકભાઈ નૈનાણી નો સંપર્ક મહિલા પેસેન્જર અને તેના સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો

જેના અનુસંધાનમાં બંને આગેવાનોએ ભારત સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્ય તરીકે રેલવે સ્ટાફને તેમજ રેલવે પોલીસ ને સંબંધિત સૂચનો કરતા તાત્કાલિક ધોરણે કામગીરી માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ કામગીરી દરમિયાન બંને આગેવાનો દ્વારા ભાવનગર લોકસભાના સાંસદ શ્રી મતી નિમુબેન બાંભણિયા ના પીએ પ્રકાશભાઈ નો સંપર્ક કરતા તેમને પણ રેલવે પોલીસને તેમજ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી

જે અંતર્ગત તે દિવસ રાત્રે જ સ્ટાફ તેમજ રેલવે પોલીસની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી રહી હતી અને તે સોનાનો દાગીનો મેળવવામાં સફળતા મળી હતી. ભરતભાઈ માંડલિયા તેમજ અશોકભાઈ નૈનાણીએ બંને સ્ટાફ તેમજ રેલવે પોલીસનો વ્યક્તિગત આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પેસેન્જરે હર્ષની લાગણી સાથે આ બંને આગેવાનો તેમજ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો

અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *