Breaking NewsLatest

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ૬૦૦ આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું વિતરણ કરાયું

જનજાતિ સમાજના ૨૯ ગામની બહેનોને સેનેટરી નેપકીન
પેડ નિઃશુલ્ક મળી રહે તેની શરૂઆત કરાઇ
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે આદિજાતિ વિસ્તારની ૬૦૦ જેટલી આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતુ.


અંબાજી મંદિર પરિસરમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની ૬૦૦ બહેનોને રીંગણ, ગવાર, દૂધી, ટામેટા, ચોળી, લાંબા કાલંગડા, કાકડી, ભીંડાનું બિયારણ એક એકર જેટલી જમીનમાં વાવી શકે અને દિવસના ૪ ટોપલાં જેટલી શાકભાજી વેચી આર્થિક રીતે પગભર થઇ શકે તે માટે સંશોધિત અને હાઈબ્રીડ બિયારણ નયન સિડ્સના શ્રી યશવંતભાઈ પટેલના આર્થિક સહયોગથી આપવામાં આવ્યા હતા. પાલનપુર રોટરી કલબના સહયોગથી જનજાતિ સમાજના ૨૯ ગામની બહેનોને તેમના પોતાના ગામમાં જ સેનેટરી નેપકીન પેડ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થાની આજથી શરૂઆત કરવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *