ભાવનગર ખાતે સમગ્ર ભારતમાં ત્રીજા અને રાજ્યમાં બીજા ક્રમે આવનાર ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીનાં રથનાં દોરડાને હાથ વડે ખેંચી નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી.ના સમગ્ર રૂટ પર નગરચર્યા કરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિએ લીધેલી છે. ભોઈ સમાજ શરૂઆતથી જ રથયાત્રા સાથે જોડાયેલો છે. આ વર્ષે ભોઈ સમાજનાં નાનાથી લઈને મોટા સુધીના ૩૦૦ લોકો ભગવાનનાં રથને ખેંચવાની સેવામાં જોડાયા છે.
વ્યવસ્થા જાળવવા માટે ભોઈ સમાજનાં કુલ ૩૦૦ લોકોનાં સભ્યો રથ ચલાવવાની સેવા આપી છે. જે વારાફરતી ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાને આગળ લઈ જઈ રહ્યા છે. અબાલવૃદ્ધ ભોઈ સમાજના સભ્યો આ સેવામાં જોડાય છે. રથયાત્રાના દિવસે પહિંદ વિધિ થાય તે પહેલા રથ ખેંચનારા સભ્યોને ચાંદલા કરી શુકન કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજીનાં જયઘોષ સાથે રથ ખેંચવાની શરૂઆત કરવામાં છે. પરંપરાગત રીતે ભોઈ સમાજને – ભગવાનનો રથ ખેંચવાની મળેલી સેવાને – ભોઈ સમાજ તેમનું સૌભાગ્ય ગણે છે.