bhavnagarBreaking NewsGujarat

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કૃષિ સંબંધી શિક્ષણ સંગોષ્ઠિ યોજાઈ.રામકથા સાથે થયેલા આયોજનમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મળ્યું હતુ.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં કૃષિ સંબંધી શિક્ષણ સંગોષ્ઠિ યોજાઈ ગઈ જેમાં રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ માનવ જીવન માટે અનિવાર્ય હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.રામકથા સાથે થયેલા આયોજનમાં પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મળ્યું હતુ.

શિક્ષણ,સંશોધન અને વિસ્તરણ માટે કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથા સાથે શિક્ષણ સંગોષ્ઠિના આયોજનો રાખવામાં આવ્યા હતા.

અહી શિક્ષણ સંગોષ્ઠિમાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંકલન સાથે પ્રાકૃતિક ખેતી અને કૃષિ પેદાશોનું મૂલ્યવર્ધન’ વિષય પર ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે વિદ્યાર્થીઓને ઉપસ્થિત અનુભવી નિષ્ણાતો દ્વારા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ માનવ જીવન માટે અનિવાર્ય હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું.

લોકભારતી વિશ્વ વિદ્યાલયના વડા શ્રી રાજેન્દ્ર ખિમાણીએ કૃષિ ક્ષેત્રમાં પ્રાકૃતિક પદ્ધતિઓની હિમાયત કરી હતી.

આ ઉપક્રમમાં પ્રાકૃતિક કૃષિ નિષ્ણાતો શ્રી મનોજભાઈ સોલંકી,શ્રી કપિલભાઈ શાહ,શ્રી હીરજીભાઈ ભિંગરાડિયા સહિત અન્ય અનુભવીઓ દ્વારા રાસાયણિક ખેતી સામે સંજીવની એવી પ્રાકૃતિક કૃષિ માટે સવિસ્તર માર્ગદર્શન આપી તેના પર સૌને ખેતી કરવા અનુરોધ કરવામાં આવેલ હતો.

પ્રારંભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરાના વડા શ્રી નીગમભાઈ શુક્લ દ્વારા આવકાર પરિચય અપાયેલ હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 377

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *