bhavnagarBreaking NewsGujarat

કોઇ દિવસ વિચાર્યું પણ નહોતું કે પોતાનું પાક્કું મકાન બનશે,પણ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ દ્વારા સહાયથી આ સપનું સાકાર થયું છે-લાભાર્થી શીલાબેન ત્રિવેદી

ભાવનગરનાં ઘોઘા તાલુકામાં આવેલ ઉખરલા ગામનાં શીલાબેન રાજેશકુમાર ત્રિવેદી જણાવે છે કે,પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ થકી તેઓને પાક્કું ઘર બનાવવાનું સપનું સાકાર થયું છે.તેઓનું કાચુ મકાન પડી જતાં છેલ્લા પાંચ વર્ષથી ગારાથી બનાવેલ મકાનમાં રહેતા હતાં અને તેઓને ખુબ તકલીફ પડતી હતી.તેમના મકાનમાં ચોમાસામાં પાણી પડતું હોવાથી અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.આવી ખરાબ પરિસ્થિતિંમાંથી બહાર નીકળવા આ સહાય તેમને આશિર્વાદરૂપ સાબિત થઇ છે.
તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ અંતર્ગત નવું મકાન બાંધવા માટે રૂ.૧.૨૦ લાખની સહાય મળી છે,જેમાં તેમણે રૂમ,રસોડું અને શૌચાલય,બાથરૂમવાળું સુવિધાયુક્ત પાક્કું મકાન તૈયાર કર્યું છે.ચોમાસામાં નળિયામાંથી પાણી પડવાની ચિંતા દુર થતા રાહત મળી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ યોજનાનો હેતું હાઉસિંગ ફોર ઓલનાં સંકલ્પને સાકાર કરવા માટે તમામ ગ્રામીણ ઘરવિહોણા કે કાચા મકાનોમાં રહેતા લોકોને પાક્કું મકાન તૈયાર કરવા સહાય પુરી પાડવાનો છે.આ યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં મકાન બાંધવાની કામગીરીની પ્રગતિ ચકાસીને કુલ ૧.૨ લાખની સહાય ડી.બી.ટી. દ્વારા સીધી બેંક ખાતામાં જ આપવામાં આવે છે. આમ, આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને વંચિતોને તમામને આવાસ પુરૂ પાડવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી રહી છે.
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *