પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા સ્ટાફના માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતાં-ફરતાં આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
તા.૧૨/૦૫/૨૦૨૫ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો પાલીતાણા ડિવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપી ઇમ્તીયાજભાઇ ઉર્ફે બિહારી નસીરઅહમદ અંસારી રહે.મહુવા જી.ભાવનગરવાળો હાલ-ગારીયાધાર,નવાગામ રોડ ખાતે ઉભેલ છે.જે બાતમી આધારે તપાસ કરતા નીચે જણાવેલ આરોપી હાજર મળી આવતા તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-ઇમ્તીયાજભાઇ ઉર્ફે બિહારી નસીરઅહમદ અંસારી ઉ.વ.૫૪ રહે.રૂમ નં.૩૦૪, ત્રીજા માળ, ઝમઝમ રેસીડેન્સી, નવા ઝાંપો, મહુવા જી.ભાવનગર
પકડવાના બાકી ગુનાની વિગત ભાવનગર,ગારીયાધાર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૪૦૫૨૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૪૦૬, ૪૨૦, ૧૨૦ બી તથા ૧૧૪ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ જયદાનભાઇ લાંગાવદરા,બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા