Education

ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન :- રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ ૫ અને ધોરણ ૮ માં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં ૩૫% ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ-૨૦૧૯-૨૦, વર્ષ- ૨૦૨૦-૨૧ અને વર્ષ – ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ – ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-૫ અને ધો૨ણ-૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે તેમ મંત્રી એ જણાવ્યું હતું.

વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, ધો. ૦૫ અને ધો.૦૮ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.

વધુમાં મંત્રી એ ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અન્વયે આ નિર્ણયના અમલીકરણ થી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો તેમજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાની તક મળશે, જેથી વિદ્યાર્થીઓનો ભવિષ્ય ઊજળું બનશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

રાષ્ટ્રપતિના અધ્યક્ષ સ્થાને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ સંપન્ન

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના…

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવતા અમદાવાદ કલેકટર સુજીત કુમાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજથી…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *