Breaking NewsLatest

ગારીયાધાર માં ચાલી રહેલ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં સેવાકીય સંસ્થા દ્વારા ફ્રી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ

સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેરે કહેર સર્જયો છે ત્યારે ગારીયાધાર તાલુકા ના કોરોના વાઇરસ માં સંક્રમિત દર્દી માટે ઘર આંગણે જ સારી સેવા મળી રહે તેવા આશય થી ગારીયાધાર શહેરમાં આમ આદમી પાર્ટી સંચાલિત અને શ્રી સુધીરભાઈ વાઘાણી ટ્રસ્ટ પ્રેરિત કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ એમ ડી પટેલ હાઇસ્કુલ માં શરૂ કરાયેલ આ આઈસોલેશન સેન્ટર માં દર્દીને રહેવા, જમવા, દવા, થી લઇ ઑક્સિજન સુધીની બધીજ સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે

ત્યારે વધુ એક સેવાકીય સંગઠન લોકોની મદદે આગળ આવ્યુ છે સુરત થી સુદામા ગ્રુપ અને સેવા સંસ્થા દ્વારા ગારીયાધાર એમ ડી પટેલ સ્કૂલ ખાતે ચાલી રહેલા covid isolation સેન્ટરમાં એમ્બ્યુલન્સ રૂપે નિશુલ્ક સેવા માટે આપવામાં આવનાર છે સુરતથી આવેલા આ યુવાનોએ કુલ ત્રણ એમ્બ્યુલન્સ જેમાંથી એક એમ્બ્યુલન્સ ભાવનગર ખાતે એક એમ્બ્યુલન્સ ગારીયાધાર ખાતે અને એક એમ્બ્યુલન્સ જૂનાગઢ ખાતે સેવા અર્થે આપવામાં આવેલ છે બેઝિક લાઇફ સપોર્ટ સિસ્ટમ માટે જરૂરી ઓક્સિજન અને ફ્લોમીટર લગાવવામાં આવેલ છે તથા કોરોના માટે જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફ, સેનેટાઇજર સહિતની સુવધાઓ સાથે આ એમ્બ્યુલન્સમાં રાખવામાં આવેલ છે જેના કારણે ગારિયાધારના અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ને અન્ય જગ્યાએ રીફર કરવામાં વિના મૂલ્યે ચાલતી આ એમ્બ્યુલન્સ મદદરૂપ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *