Latest

વલ્લભીપુરના સરોવરીયા હનુમાનના સાનિધ્યમાં રામકથાનો પ્રારંભ

ભવ્ય પોથીયાત્રામાં કસ્બા મુસ્લિમ સમાજના લોકો સહિત સેંકડો શ્રાવકો જોડાયા

વલ્લભીપુર તા.29
વલ્લભીપુરના મફતનગર સ્થિત સરોવરીયા હનુમાન દાદાના સાનિધ્યમાં તા.29ને મંગળવારે ભાવનગરવાળા ભરતદાસબાપુ ગોંડલીયાના વ્યાસસ્થાને રામકથા શરૂ થઈ હતી. આ પ્રસંગે નીકળેલી પોથીયાત્રામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.

પચ્છેગામ રોડ સ્થિત તળાવની પાળ નજીક મારૂતીધામ સરોવરિયા હનુમાનજી મંદિરના ઉપક્રમે આયોજિત આ રામકથામાં વિવિધ પ્રસંગોની ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં તા 31ને ગુરુવારે સાંજે 5 કલાકે શ્રીરામ જન્મોત્સવ, તા. 2ને શનિવારે સાંજે 5 કલાકે સીતારામ વિવાહ, તા.5ને મંગળવારે સાંજે 5 વાગ્યે રામેશ્વર પુજા થશે અને તા 6ને બુધવારે સાંજે 5 કલાકે કથા વિરામ પામશે. શ્રી સરોવરિયા હનુમાનજીના મંદિરના વિકાસઅર્થે રાખવામાં આવેલ આ રામકથાનો લાભ લેવા આયોજકોએ જાહેર જનતા અને ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
યુટ્યુબ પર લાઈવ જોવા મારુતિ સ્ટુડિયો 108 અથવા 8160442141નો સંપર્ક કરવા આયોજકોની એક યાદીમાં જણાવાયું છે.

એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *