Breaking NewsLatest

હરિદ્વારથી આવેલા રુદ્રાક્ષ વૃક્ષનું મોડાસામાં વાવેતર થશે

gpyg ના પર્યાવરણીય પ્રાણવાન રવિવારને ગાયત્રી પરિવાર પ્રમુખે પ્રસાદ રૂપે મોકલ્યું આ રુદ્રાક્ષ વૃક્ષ

મોડાસા ,26 ડિસેમ્બર: ભારત પ્રકૃતિ પૂજક દેશ છે અને આ દિવસોમાં પર્યાવરણ પર ગંભીર સંકટની સ્થિતિ છે. આ સમસ્યાનો સામનો કરવામાં વૃક્ષારોપણ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રદૂષણ ઘટાડવા માટે વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મોટા પાયે વૃક્ષારોપણ કરે છે, પરંતુ તેના પરિણામો આશાસ્પદ નથી. દરમિયાન, ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર એક એવી સંસ્થા છે, જે વૃક્ષ ગંગા અભિયાન હેઠળ બે દાયકાથી વધુ સમયથી વૃક્ષારોપણનું કાર્ય કરી રહી છે. મોડાસાના 15 જેટલા યુવાનોએ સતત 25 થી નિરંતર ચલાવેલ પ્રાણવાન રવિવાર આંદોલનને આશીર્વાદ રૂપે ગાયત્રી પરિવારના પ્રમુખ આદરણીય શૈલદીદી એ
રુદ્રાક્ષ વૃક્ષનું મોડાસા વિશેષ રૂપે પાઠવ્યું છે. હાલમાં જ ગાયત્રી પરિવાર ના મુખ્યાલય શાંતિકુંજ ખાતે શનિવારે પૂર્ણ થયેલ રાજ્ય સ્તરીય શિબિરમાં gpyg ના યુવા મિત્ર દેવાશિષ કંસારા ને આ તરૂ પ્રસાદ આપવામાં આવ્યો હતો . જ્યેષ્ઠ માસનો ઉનાળો હોય કે પોષ, માઘ માસની કડકડતી ઠંડી થી ભરેલો દિવસ હોય – દર રવિવારે એક રોપા વાવવાનું હોય તો કોઈપણ અડચણ વિના અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. અત્રે જણાવી દઈએ કે આ અભિયાન 7 મી નવેમ્બર 2010 ના રોજ ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવારના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય હરિદ્વાર ખાતે આવેલ ગાયત્રી તીર્થથી શરૂ થયું હતું. અત્યાર સુધીમાં બે કરોડથી વધુ રોપા વાવવા, નિર્જન પહાડીઓ હરિયાળી બનાવવા, અશુદ્ધ ગંગા સહિત વિવિધ નદીઓ બંને કિનારાને લીલી ચુનર  અર્પણ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.તરુ પ્રસાદનું આગામી રવિવારે મોડાસામાં ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વાવેતર થશે .ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા આગામી 2 જાન્યુવરી 2022 ના રોજ 27 માં પ્રાણવાન રવિવારના રોજ ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વાવેતર થશે .સાથે જ આ મોડાસાના આ યુવાનો દ્વારા ચાલતા આંદોલનનું 51 મા પ્રાણવાન રવિવાર જૂન 2022 માં હરિદ્વાર ના ગંગા ના તટ પર 51 વૃક્ષો ના વાવેતર સાથે થશે .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *