Latest

અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિરે દીપાવલી પર્વની ઉજવણી અને ભવ્ય મહા અન્નકૂટનું આયોજન.

દીપાવલી પર્વ એટલે પ્રકાશનું પર્વ. જીવનમાં પ્રકાશ , આનંદ અને ઉત્સાહનો સંચાર કરતો તહેવાર એટલે દીપાવલી પર્વ. દર વર્ષે ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ અક્ષરવાડી, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે દીપાવલી પર્વની ઉજવણી ભક્તિભાવપૂર્વક, દિવ્યતા અને ભવ્યતાપૂર્વક થાય છે.

આ વર્ષે પણ અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા.૯.૧૧.૨૩ ગુરુવારે એકાદશી ઉત્સવની આરતી સાંજે ૬.૩૦ કલાકે થશે. તા.૧૧.૧૧.૨૩ શનિવાર કાળી ચૌદસના દિવસે સાંજે ૬.૦૦ કલાકે શ્રી હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવશે.

તા.૧૨.૧૧.૨૩ રવિવાર દિવાળીના દિવસે સાંજે ૫.૦૦ કલાકે ઠાકોરજી તથા પૂજય સંતોના સાનિધ્યમાં વેદોક્તવિધિપૂર્વક ચોપડા પૂજન થશે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાય છે. સાંજે ૬.૩૦ થી ૭.૩૦ કલાકે મંદિરના પરિસરમાં રવિસભા તથા હજારો દીવડાઓ દ્વારા મહા આરતી થશે.

તા.૧૩.૧૧.૨૩ સોમવારે અન્નકૂટોત્સવ અંતર્ગત ભગવાન સમક્ષ ૧૨૦૦ થી વધુ વાનગીઓનો ભવ્ય મહા અન્નકૂટ થશે. સવારે ૯.૩૦ કલાકે અન્નકૂટ થાળ ગાન, ૧૦.૦૦ કલાકે અન્નકૂટ આરતી થશે. ત્યારબાદ ૧૦.૩૦ થી સાંજના ૭.૦૦ કલાક સુધી અન્નકૂટ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થશે.

તા.૧૪.૧૧.૨૩ સં ૨૦૮૦ નૂતન વર્ષે સવારે ૬.૦૦ કલાકે મંગળા આરતી, ૬.૧૫ કલાકે નૂતન વર્ષ મહાપૂજા, ૭.૩૦ કલાકે શણગાર આરતી, સવારે ૬.૩૦ થી ૧૨.૦૦ નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે. દીપાવલીના પાવન પર્વના કાર્યક્રમો તથા મહા અન્નકૂટ ઉત્સવનો લાભ લેવા અક્ષરવાડી મંદિર દ્વારા શહેરી જનોને ખાસ આમંત્રણ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *