Latest

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા તલાટીઓ ગામ પંચાયતમા પોતાની મન મરજીથી આવતા હોય છે અને પોતાની મરજીથી વહેલા જતા રહેતા હોય છે. ત્યારે વાત કરવામાં આવે તો રાધનપુર તાલુકાના અરજણસર મુકામે તલાટી કમમઁત્રી ભરતભાઇ ચૌધરી પોતાની મરજીથી આવે છે

અને પોતાની મરજીથી જાય છે તેવા આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે.તેમજ તલાટી સમયસર પંચાયત નહીં આવતા ગામલોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગત મંગળવાર તા. 15/04/2025 ના બપોરે 12:30 વાગે તલાટી હાજર ન હોવાથી ગામ લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી.

ત્યારે આવા રાધનપુર તાલુકામાં ગુલ્લીમાર તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી જનતાની લાગણી સાથે માંગણી ઊઠવા પામી છે.

અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે સમય સૂચક બોર્ડ પણ જોવા મળ્યું નથી.. ત્યારે ગામના રહીશ દ્વારા સરપંચને અને તલાટીને કડવાભાઈ રાવળ દ્વારા ફોન કરવામાં આવતા યોગ્ય જવાબ નહીં મળતા લોકો રોષે ભરાયા હતા.

અને ગ્રામ પંચાયત ખાતે આવતા તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજણસર ગામ મુકામે ધરમ ધક્કા ખાતા ગામ લોકોને શુ યોગ્ય ન્યાય મળશે..!! કે પછી આમજ તલાટી ગુલ્લી મારશે જૅ આવનાર સમય જ બતાવશે, હાલતો ગામલોકોએ આ તલાટી સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *