Latest

આણંદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો જોગ

આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરેલ ખેડુતો તા. ૩૦ ડિસેમ્બર સુધીમાં બીલ જમા કરાવે

આણંદ, સોમવાર :: જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અને કરવા માંગતા તમામ ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

જેમાં વિવિધ ઘટકો જેવા કે અતિ ધનિષ્ઠ તથા ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, છુટા ફૂલો, પ્લાસ્ટીક મલ્ચીંગ, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ પંપ (20 BHP થી ઓછા/35 BHP થી વધુ), પાવર નેપસેક પંપ (૧૬ લી. વધુ), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર ટીલર (8 BHP થી ઓછા/8 BHP થી વધુ), સરગવાની ખેતીમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર, હાઇબ્રીડ બિયારણ, કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, પ્લાસ્ટીક મલ્ચીંગ વગેરે યોજના અને ઘટકોમાં સહાય/લાભ લેવા માંગતા ખેડૂતોની ઓનલાઇન અરજી મંજુર થયેલ છે. જેના માટે સહાયના કેસના ખર્ચ બીલ તારીખ ૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે જુના જિલ્લા સેવા સદનના ચોથા માળે રૂમ નં. ૪૨૭-૪૨૯ નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામક, આણંદની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *